________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
આજના પ્રતિભાશાલી પ્રાજ્ઞાના વિચાર। શાસ્ત્રપરંપરાથી વિરુદ્ધ જણાતા હાય તાયે તેથી ન ભડકતાં તે વિચારાને સમતાથી વિચારવા ઘટે; અને, ઠીક લાગે તેા, સત્યશેાધકની હેસિયતથી તે વિચારાને પેાતાની વિચારપૂજીમાં ભેળવવા ઘટે. કોઈના પણ વિચારો જેટલે અંશે યુક્ત-ઉપયુક્ત લાગતા હોય તેટલે અંશે તેમની કદર કરવી ઘટે. એ સત્યપૂજા ચા જ્ઞાનપૂજાનું પ્રશસ્ત લક્ષણ છે.
ફ્
સત્યને માટે શાસ્ત્ર છે, પણ શાસ્ત્રને માટે સત્ય નથી. જે સત્ય છે, જે વિચારપૂત અથવા બુદ્ધિપૂત છે, યુક્તિસિદ્ધ અને હિતાવહ છે તેને શાસ્ત્ર ઉથલાવી શકે નહિ; ઉથ લાવવા જાય તો તે પાતે જ ઊથલી પડે. જે બુદ્ધિથી અગમ્ય-બુદ્ધિની પહેાંરાની બહાર-હાય તેની સામે તે વિરોધ કરવાની શકયતા જ કયાં છે ? તેવી બાબતમાં ગમ ન પડે તાયે ચુપકી જ રાખવી પડે. પરન્તુ બુદ્ધિવિરુદ્ધ હાય (બુદ્ધિ વાંધા ઉડાવે) એવુ', લેાકહિતવિરુદ્ધ હોય એવું તત્ત્વ શાસ્ત્રથી (શાસ્ત્ર કહે છે માટે) માની લેવાય નહિ. બૃહસ્પતિ સ્મૃતિમાં કહ્યું છે :
केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णयः । युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥
અર્થાત્ કેવળ શાસ્ત્રના આધાર લઈ નિર્ણય કરી શકાય નહિ; કેમકે જે વિચાર યુક્તિવિરુદ્ધ હેાય તેને અનુસરવાથી ધર્માંની હાનિ થાય છે.
અહીં પ્રસંગેાપાત્ત જણાવવું જોઈ એ કે કુલાચારથી પણ સારું આચરણ કે સારાં કામ થાય તે પ્રશ’સનીય છે, પણ સમજબુદ્ધિથી જે સત્કર્મ થાય તેની મા એક ઔર છે. કુલાચારથી જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તેની એટલી મહત્તા નથી, પણ જે સમજપૂર્વક જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે, અર્થાત્ જૈનત્વ, ઔદ્ધત્વ યા વૈષ્ણુવત્વના વિશુદ્ધ આદ મુજબ જે જૈન, ઔદ્ધ યા વૈષ્ણવ છે તે જ ખરા જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે; કેમકે જે સમજપૂર્વક સન્માની દીક્ષા અંગીકાર કરે છે તે એ માની પર પરામાં કસ્તુર-કચરા જેવું જે આવી પડેલું હેાય તેને ખસેડવાના વિવેક પણ દાખવે છે. એવા વિવેકથી તે અસત્ તત્ત્વને દૂર કરી પેાતાના જીવનવિકાસના સાધન સાથે આમજનતા આગળ પણ એક સ્વચ્છ જ્ઞાનમાર્ગ રજૂ કરે છે.
જૈન, ઔદ્ધ, વૈષ્ણવ વગેરે સંકુચિત મનેાવૃત્તિના હોય તે જ એકબીજાથી અલગજુદા જુદા માર્ગગામી બને છે, પણ જો વિવેકદૃષ્ટિસમ્પન્ન અને સાચી કલ્યાણ કામનાવાળા હોય તો તેઓ, સામ્પ્રદાયિક નામ જુદાં જુદાં ધરાવવા છતાં, વસ્તુતઃ એક જ કલ્યાણમા પર વિહરનારા હાય છે. આવા સમભાવી, શુદ્ધ જિજ્ઞાસુ, ગુણપૂજક સજ્જનો ખરેખર, એક જ માના સહપ્રવાસી છે.
Jain Education International
"
• વૈષ્ણવ જન તે। તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.”
—એ ભજન, જે દેશભરમાં પ્રસિદ્ધ છે, તેમાં અતાવેલા નૈતિક સદ્ગુણૢા જેમ વૈષ્ણવ થવા માટે આવશ્યક છે, તેમ ઔદ્ધ કે જૈન થવા માટે પણ આવસ્યક છે. અતઃ એ સદ્ ગુણાને ધારણ કરવા એ જ જો સાચુ. વૈષ્ણવથવાપણુ, બૌદ્ધથવાપણું અથવા જૈનથવાપણું
For Private & Personal Use Only
www.jainelibrary.org