________________ [12] I destestastastestostestailedte besteste deste de sostedade estostestestes destacadastestestodestosteceso deste testostestestostestadestadostestados desbot. સાગરસૂરિજીની નિશ્રામાં અઠ્ઠાઈ ઉજવણી મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન તેમ જ જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ આ ત્રણે શ્રેષ્ટિવએ કરાવી. એક મોટો જ્ઞાતિમેળે કર્યો. તેમાં નવ ટંક ભોજનની સાથે સાકરની ભરેલ બે કાંસાની થાળીઓની પ્રભાવને કરવામાં આવી હતી. ધરમી હિન ધરતી માથે, ધરમધજા લહેરાયે; ખીર શક્કર ખારાય, કાયમ ના કેશવ રખેં. [4] આ જિનાલય ઉપરાંત, ત્રણે શેઠિયાઓએ બે માળને વિશાળ ઉપાશ્રય, મહાજનવાડી, પાંજરાપોળ અને ફૂલવાડી વગેરે સંસ્થાએ લાખ કેરીઓ ખર્ચીને તૈયાર કરાવી. શ્રી કેશવજી નાયકની સખાવતે આમ તે કચ્છમાં અને કચ્છની બહાર ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક છે. કોઠારાના જિનાલય ઉપરાંત શત્રુંજય ગિરિ ઉપર સંવત ૧૯૨૧માં શ્રી નરશી કેશવજીના નામે એક જિનાલય બંધાવી, શ્રી અભિનંદન સ્વામી આદિ પ્રતિમાઓ ભરાવી. તદુપરાંત ૧૯૨૮ની સાલમાં ગિરિવર ઉપરની વાઘણ પિળની પાસે ટૂંક બંધાવી, શ્રી અનંતનાથજી ભગવાન તેમ જ અન્ય જિનબિમ્બની પ્રતિષ્ઠા અને અંજનશલાકા ગચ્છનાયક શ્રી રત્ન સાગરસૂરીશ્વરજી પાસે કરાવી. આ કાર્યમાં કુલ્લે સેળ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ ટૂંક “શ્રી કેશવજી નાયકની ટૂંક”ના નામે ઓળખાય છે. * શ્રી ગિરિનારજી (ગિરનારજી) ઉપરનાં જૈન દહેરાં ખુલ્લાં હોવાને કારણે ટૂંકને ફરતે કેટ તેમ જ શ્રી નેમિનાથજી ભગવાનની કોટ ઉપર માઢ મેડી પણ શ્રી કેશવજી શેઠે રૂપિયા 45,000 ખરચી તૈયાર કરાવી આપી. વિકમના વીસમા સૈકામાં આ તીર્થને જીર્ણોદ્ધાર શ્રી કેશવજી શેઠે કરાવ્યો. એવી જ રીતે સંવત ૨૦૦૫માં મુંબઈના શ્રી અનંતનાથજી ટ્રસ્ટ તરફથી કચ્છ કેડારાના દહેરાસરજીને જીર્ણોદ્ધાર તથા વજદંડ પ્રતિષ્ઠા મહોત્સવ તેમ જ જિનાલયને શતાબ્દી મહોત્સવ શ્રી સંઘે શેઠશ્રી જેઠાભાઈ નાયકના પ્રમુખપદે ઉજવ્યો. શ્રી વેલજી માલુ, શ્રી શીવજી નેણશી તથા શેઠશ્રી કેશવજી નાયકની ધર્મભાવનાના પ્રતીક સમું આ દહેરાસર કેડારા ગામમાં કીર્તિસ્તંભ સમાન આજે પણ ઊભું છે. નિર્માતાઓને અંજલિ આપી વિરમીશું. લાયક ભલે લખું અંઈ, નાયક સાયક કેય; પાણી પીને પાય ઘર, પૂછી પસતાંઈધા. [5] કાવ્ય કીતિ કેશવ કવિ, દાનકીરત દશપાલ; અકકલ વડે એશવાલ, જસનામી તું જગતમેં. [6] એ આશીર્ય કાયાણાગામસ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org