SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક ૧૯૩ .... લવ ઊંતિ] સિદ્ગિ પર શ્રી નસિંઘવ [જ્યા] વિના ]િ ... પર જરાયતન વિતસિ (?)..ઘાન [येनकेन उपायेन जादवकुलतिलक . तीर्थकर શ્રીનેમિનાથબાવા... નવા ૨ ક. વાત... •સૂત્ર [૧] વિશ્રામ માત... લેખન સાલ બતાવતો ભાગ તે કાળે નષ્ટ થઈ ચૂક્યો હશે, યા વાંચી શકાય નહીં હેય. લેખને પૂરો અર્થ સમજવો તો અસંભવિત છે; પણ સિદ્ધ ચક્રપતિ (સિદ્ધ ચક્રવતી) શ્રી જયસિંહ દેવનું શાસન તે વખતે ચાલતું હતું એ તે તદ્દન સ્પષ્ટ છે. બીજે મહત્ત્વને ઉલેખ “કરાયતન ( કયતન)ને છે. નાગેન્દ્રનછીય આચાર્ય વિજયસેનસૂરિને રેવંતગિરિરાસુ (આ. ઈ. સ. ૧૨૩૨) અનુસાર ખેંગારને હણ્યા બાદ સિદ્ધરાજે અહીં સજજનને સોરઠને દંડનાયક બનાવેલો, જેણે નેમિનાથના પુરાણું મંદિરનું નવનિર્માણ સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯માં કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત્ર (સં. ૧૩૪૪ ઈ. સ. ૧૨૭૮) અનુસાર નવનિર્માણ પૂર્વે નવ વર્ષથી (એટલે કે ઈ. સ. ૧૧૨૦થી) સોરઠ દેશ સજજનને અધિકારમાં હતા, સિદ્ધરાજના સોરઠ વિજયની મિતિ ઇતિહાસમાં ઈ. સ. ૧૧૧૫ની માની છે. ચૌદમા-પંદરમા શતકના પ્રબધામાં પ્રસ્તુત જિનાલયનું અભિધાન સિદ્ધરાજ પિતૃ કર્ણદેવ પરથી “કર્ણવિહાર” રાખેલું એવું જે કથન મળે છે તેનું આ સમકાલિક અભિલેખ પૂર્ણતયા સમર્થન કરી રહે છે. (૩) નેમિનાથના મંદિરની દેવકુલિકાઓની હારમાળામાં પરોવેલ ઉત્તર તરફની પ્રતોલીની અંદરની ભિંતમાં આ લેખ આજ પણ મોજૂદ છે; એને (સ્વ.) ભગવાનલાલ ઈન્દ્રજીએ (વાયના દીધા સિવાય) ઈ. સ. ૧૧૨૦ (સં. ૧૧૬૬), સજજન મંત્રીનું નામ દેતે, લેખ માની લીધેલું અને વિશેષમાં તેને દક્ષિણ દ્વારમાં કંડારેલ હોવાનું બતાવેલું. પણ આ તમામ ધારણાઓ બ્રાન્ત છે. તે પછી બજે સ દ્વારા તેમજ બસ કઝિન્સ દ્વારા એમ બે વાર તેની વાચના છપાયેલ છે; બન્નેમાં પાઠાન્તર પણ છે, અને પાઠવાયના પણ ક્યાંક ક્યાંક દોષપૂર્ણ છે. લેખમાં આવતા મુનિઓને તેઓ ઓળખી શક્યા નથી; પણ (સ્વ.) પં. લાલચન્દ્ર ગાંધી દ્વારા તેની યથાર્થ સ્પષ્ટતા થયેલી છે. છેલ્લા સમારકામમાં લેખના બેમાંથી એક પથ્થરને કાપવામાં આવ્યું છે અને લેખ ધરાવતા પથરો પણ આડાઅવળા ગાઠવ્યા છે. આથી વાંચવામાં મુશીબત ઉભી થવા અતિરિક્ત લેખની યે પંક્તિના છેલ્લા ત્રણ ચાર અક્ષર ઉડી ગયા છે. આથી અમારી અને બર્જે સાદિની વાચના મેળવીને નીચે તેને સંશુદ્ધ પાઠ આપીએ છીએ: श्रीमत्सूरिधनेश्वरः समभवन्नी शीलभ (ट्टाद्रा) त्मजः शिष्यस्तत्पदपंकजे मधुकर क्रीडाकरो योऽभवत् । शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचन्द्रसूरि...त... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥१॥ श्री सनातमहामात्य पृष्टार्थविहितोत्तरः भे समुदभूतवशा રેવન્કાર જ્ઞનતાવિત સં. ૨(૧૦) // ૨૫. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.230040
Book TitleUjjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy