SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ આ જંબૂસ્વામી લેખક : શ્રી બાપુલાલ કાળિદાસ સધાણી- વીરખાલ ’ ઘટમાં ઘેાડા થનમને, આતમ વીંઝે પાંખ; અણુદીઠેલી ભામમાં, જોબન માંડે આંખ. —મેઘાણી “ મા, ખાપુજી, મને પૂજ્યપાદ સુધર્માસ્વામીના અંતેવાસ સ્વીકારવાની રજા આપે !” ભારે સ`કાચ સહુ એલાયેલા એ શબ્દો જાણે વિજળીશા પડયા. ઘડીભર ત્યાં સ્તબ્ધતા પ્રસરી રહી. ઘેાડી વારે ભાંગેલા સ્વરે ખાએ કહ્યું: “શુ કહે છે, બેટા, તુ?” એ શબ્દમાં ઉપાલંભ હતા કે આઘાત તે સમજી શકાતું નહાતું, “ ખા! ભગવાનની શ્રમણ પર‘પરામાં સમાઈ જવાની અનુજ્ઞા આપે। મને!” “ બેટા ! તું જાણે છે કે આઠ શ્રેષ્ઠિકન્યા સાથે તારાં તે લગ્ન લીધાં છે; અને વિવાહના મંડપા પણ બંધાઈ ચૂકયા છે. એ આઠ શ્રેષ્ઠીએને હું શી રીતે માં બતાવું?” સ્વસ્થ થવા મથતા પિતાએ વ્યથાભર્યા અવાજે કહ્યુ.. “ એટલે જ કહું છું ખાપુજી ! મને અત્યારે જ સંસારમાંથી વિદાય આપેા. ભગવાન મહાવીરના નાનકડા સંદેશવાહક બનવા માટે મારા અણુએ અણુ તલસી રહ્યો છે.” સ’કાચ દૂર થતાં કુમાર જંબૂના અવાજમાં વધારે ને વધારે નિશ્ચલતા પ્રગટ થતી જતી હતી. "C વિવાહના મંડપે શું વિખેરી નાંખું ? એ શ્રેષ્ઠીઓને શુ' ના કહાવી દઉં”? એ આઠ કોડભરી કન્યાઓનાં હૃદય ઉપર વપાત કરું? જબૂ! બેટા! તું હવે નાના ન કહેવાય, શ્રેષ્ઠીઓને આપેલા વચનની જવાદારી તારે સમજવી ઘટે!” પિતાના શબ્દોની અંદર હૃદયનું રુદન ને અંતરના આઘાત લપેટાયેલાં હતાં. “ જવામદારીનું ભાન જાગી વિદાય યાચી રહ્યો છું. લગ્ન પછી Jain Education International ઊઠયુ હેાવાને લીધે જ બાપુ! હું અત્યારે આપની તે મારા પગમાં સાંકળ પડી જાય. ઊડ ઊડ થવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230035
Book TitleArya Jambuswami
Original Sutra AuthorN/A
AuthorBapulal K Sadhani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy