________________ અંતરાત્મદર્શન : 67 પરિણામની રે'—જેથી તે વ્યક્તિ વર્તમાન અને ભાવી એ ઉભયની સાથે નિર્ભયપણે સામે મોઢે લડે છે અને આનંદપૂર્વક પરમાત્મપદ મેળવવાની અભિલાષાના મહાસાહસમાં પ્રગતિ કરે છે. અંતરાત્મ અવસ્થાનું આ સંક્ષિપ્ત દર્શન છે. ઉપસંહારમાં અંતરાત્મપણાના નિચોડરૂપે જણાવવાનું કે વાસ્તવિક રીતે “આત્મા’ એ જ “સંસાર” છે અને “આત્મા” એ જ “મોક્ષ' છે એ પ્રકારનું રહસ્ય અર્પતી પૂ૦ હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં નિરૂપણ કરેલો માંગલિક શ્લોક સાદર કરી વિરમું છું. अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः / ___ तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः / / કષાય અને ઇન્દ્રિયોથી જિતાયેલો આત્મા એ જ સંસાર છે, પરંતુ આત્મા જ્યારે તેમના ઉપર જ્ય મેળવે છે ત્યારે તે જ આત્માને પંડિતજનો મોક્ષ કહે છે.” કંડક * : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org