SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા પરમો ધર્મ : ૫૧ વિના સર્વ પ્રત્યે સમદષ્ટિ રાખું છું, તે મારા વ્રતને જુઓ. ષ્ટ, અનિષ્ટ, પ્રીતિ અને રાગથી છૂટું થયેલું એવું મારું ત્રાજવું સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન છે. મ વૃદ્ધ, રોગી અને કૃશ મનુષ્યો વિષયો પ્રત્યે નિઃસ્પૃહ હોય છે, એમ અર્થ અને કામના ઉપભોગમાં હું નિઃસ્પૃહ છું— વિગતતૃણું છું...પ્રાણીઓને અભય દેનાર ધર્મ જેવો ધર્મ ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યકાળમાં થશે પણ નહિ; તેને અનુસરનારો નિર્ભય પદને પ્રાપ્ત કરે છે...(સામાન્યત:) બહિર્મુખ બુદ્ધિવાળા, ચતુર અને સમગ્ર પરિસ્થિતિ અનુસાર તત્ત્વનો નિર્ણય કરનાર વિદ્વાનો, કીર્તિને માટે જે સહાયવાન હોય કે દ્રવ્યયુક્ત હોય, કિંવા ખીન્ન અન્ય ભાગ્યશાળી હોય તેની શાસ્ત્રોમાં (તેનાં સત્કાર્યો માટે, એરણની ચોરી અને સોયના દાન જેવાં !) સ્તુતિ કરે છે. પણ (વસ્તુસ્થિતિ એ છે કે) તપ, યજ્ઞ અને દાન કરવાથી તથા પ્રજ્ઞાયુક્ત વાક્યો બોલવાથી જે ફળ મળે છે તે જ મહાફળ અભયદાનથી મળે છે. જગતમાં જે મનુષ્ય અભયદક્ષિણા આપે છે, તેને સર્વ યજ્ઞો કર્યાંનું ફળ મળે છે. (વધારામાં) પોતાનેય અભયદક્ષિણા મળે છે. પ્રાણીઓની અહિંસાથી શ્રેષ્ઠ કોઈ ધર્મ છે જ નહિ.૧૦...જે સર્વ પ્રાણીઓનો આત્મા બન્યો છે, જે પ્રાણીઓને સમ્યક્ જુએ છે, એવા (પરમ) પદના અભિલાષી છતાં પદ વિનાના-પગલાંની, રસ્તાની નિશાની વિનાના—-પુરુષની ગતિથી દેવો પણ મોહ પામે છે.”૧૧ પછી “ આ અભયદાનનો અહિંસક ધર્મ બહુ અપલાપ કરનારાથી—બહુ નિવથી જાણી શકાતો નથી, પણ આચારથી જાણી શકાય છે,’૧૨ એમ કહી આગળ ચાલતાં તુલાધાર બોલ્યો, “ જેઓ પશુઓનાં વૃષણ કાપે છે—ખસી કરે છે, નાચે છે, બહુ ભાર ઉપડાવે છે, માંધે છે, દુ:ખ દે છે અને કેટલાક તો મારી નાખીને માંસ પણ ખાઈ જાય છે, તેની તું કેમ નિન્દા કરતો નથી ? (અને મારા અહિંસક વ્યાપારને નિંદે છે ?) ” વળી આગળ ચાલતાં અત્યારના યુગમાં, ગુલામી જવા છતાંય નોકરો પ્રત્યે ગુલામ જેવું વર્તન રાખતા ‘ શેઠિયા’ઓએ ધ્યાનમાં રાખવા જેવાં વચનો ઉચ્ચારીને આ અહિંસક વણિકે કહ્યું, “ કેટલાક મનુષ્યો મનુષ્યોને જ ગુલામ બનાવીને તેમની પાસે વૈતરું કરાવે છે. વળી એ લોકો મરણતોલ માર મારવાથી થતું દુ:ખ જાણે છે, છતાં રાતદિવસ માર મારી અને . सर्वेषां यः सुहृन्नित्यं सर्वेषां च हिते रतः । વર્મળા મરક્ષા વાત્રા સ ધર્મ વેક્ નાનઙે || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૯ नानुरुध्ये विरुध्ये वा न द्वेष्मि न च कामये । સમોઽસ્મિ સર્વમૂતેષુ વય ને નાનછે વ્રતમ્ || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૧૧ इष्टानिष्टविमुक्तस्य प्रीतिरागवहिष्कृतः । તુહા મે સર્વભૂતેષુ સમા તિવ્રુતિ નાનછે || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪–૧૨ सहायवान्द्रव्यवान्यः सुभगोऽन्योऽपरस्तथा । ९ १० ततस्तानेव कवयः शास्त्रेषु प्रवदन्त्युत । શ્રીર્ત્યર્થમપદ્ધવાઃ વટવ: હ્ભનિળયાઃ || શાન્તિપર્વ ૨૫૪–૨૭, लोके यः सर्वभूतेभ्यो ददात्यभयदक्षिणाम् । स सर्वयशेरीजानः प्राप्नोत्यभयदक्षिणाम् । ન મૂતાનામહિંસાયા ન્યાયાસ્પોડરિત વૃશ્ચન || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૨૯. ११ सर्वभूतात्मभूतस्य सम्यग्भूतानि पश्यतः । વૈવાષિ માર્ગ મુન્તિ અવવસ્ય વૈષિળઃ ॥ મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૩૨. सूक्ष्मत्वान्न स विज्ञातुं शक्यते बहुनिह्नवः । ૩૫૦મ્યાન્તરા ત્રાસ્યાનાવાડાનવનુષ્યતે || શાન્તિપર્વ, ૨૫૪-૩૬. १२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230018
Book TitleAhinsa Parmo Dharm
Original Sutra AuthorN/A
AuthorUpendrarajya J Sandesara
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size623 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy