SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ estoff datestosoftware des one of oldest.food s-one wool slow do we dofoldevolel lowleduledio|311 પટ્ટધર શ્રી વાસેનસૂરિની પરંપરા (એટલે કે કટિક ગણ, વઈરી શાખા) ના ચાર કુળ (શ્રી નરેંદ્ર કુળ, શ્રી ચંદ્ર કુળ, શ્રી નિવૃત્તિ કુળ અને શ્રી વિદ્યાધર કુળ) માં વહેંચાયેલા સાધુ - મુનિરાજાઓની પરંપરાના સાધુ, મુનિરાજે હાલમાં વિચરી રહેલા છે. જ્યારે તે સિવાયના બીજા કુળ, ગણ, ગચ્છ આદિના પરિવારના આચાર્ય ભગવંત સહિત અનેક મુનિ મહારાજાઓ ઘણું જ મોટી સંખ્યામાં તથા ૨પા આર્ય દેશાના દેશ - પ્રદેશ અને નગરો-ગામે વગેરેના શ્રી શ્રાવકસંઘના પરિવારો ઘણી જ મોટી સંખ્યામાં બહદ આર્યાવર્તમાં જ શ્રી વીતરાગ ધર્મની આરાધના દ્વારા આત્મહિત સાધી રહ્યા છે. આ રીતે જ, શ્રી અષ્ટાપદજી મહાતીર્થ, શ્રી સમેતશિખરજી મહાતીર્થ, શ્રી આપાપાપુરી મહાતીર્થ, શ્રી ચંપાગિરિજી મહાતીર્થ તથા અન્ય કલ્યાણક ભૂમિરૂપી મહાતીર્થો પણ બહદ્ આર્યાવર્તમાં જ વિદ્યમાન છે, જે આપણે દ્વીપસમૂહ સ્વરૂપી આર્યપ્રદેશથી લાખે માઈલને અંતરે છે. (શ્રી અષ્ટાપદ તીર્થ તથા વિનીતા (અયોધ્યા નગરી) આશરે ચાર લાખ માઈલ દૂર છે. માત્ર શ્રી ગિરનાર તીર્થ આપણુ આર્યપ્રદેશથી નજદીકમાં છે. (તે લગભગ 50 હજારથી એક લાખ માઈલને અંતરે છે.) અને એક માત્ર શ્રી સિદ્ધાચળજી તીર્થનું જ સાન્નિધ્ય આપણને સાંપડી રહ્યું છે. આપણે આ દ્વીપસમૂહ સ્વરૂપ આર્યપ્રદેશને લગભગ બધે જ વિસ્તાર શ્રી સિદ્ધાચળ તીર્થભૂમિ વિસ્તારમાંથી સમુદ્રના ખારા પાણીના ઘસારાથી છૂટી પડેલી ભૂમિ, તેના વિસ્તારને એક વિભાગ હોય તેમ જણાય છે. શ્રી કષભદેવ પ્રભુના સમયના શ્રી શત્રુંજય તીર્થની 50 જન વિસ્તારની તીર્થભૂમિમાંથી ચેથા આરાને અંતે 12 જન તીર્થભૂમિ શેષ રહી. જ્યારે બાકીના છૂટા પડેલા 38 જન વિસ્તારની ભૂમિ ઉપર જ આપણે આ આર્યપ્રદેશ માનવ વસાહત રૂપે વિકાસ પામ્યું હોય તેમ જણાય છે. આ ભૂમિ પર શ્રી નેમનાથ પ્રભુના શાસનકાળના સમયથી જ માનવ વસવાટ શરૂ થયેલ હોય તેમ જણાય છે. આ માનવ વસવાટમાં સહુ પ્રથમ દ્રવિડ અને યાદવ પ્રજાને વસવાટ થયું હોય તેમ જણાય છે. આરબ અને યહૂદી પ્રજા યાદના વંશજો છે. જયારે ગૂર્જર તામિલ વગેરે દ્રવિડ પ્રજાના વંશજો છે. બીજી અનેક પ્રજાઓએ ત્યાર બાદ, કાળકમે અનુક્રમે આ ભૂમિ પર આવીને વસવાટ કર્યો છે. શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતરાના કાળમાં આ પાર્વતિક ઉચ્ચ ભૂમિએ માનવ વસવાટથી સમૃદ્ધ બનીને સંસ્કૃતિને વિકાસ સાધેલો છે. બીજી આગંતુક પ્રજા કુશસ્થલથી આવેલ સૂર્યવંશી પ્રજા ભારત, ચીન, જાપાન, અને ઈરાનમાં પથરાયેલી છે. પાંડવકાલીન મનાતી મય સંસ્કૃતિ પ્રશાંતના ટાપુઓથી છેક અમેરિકા સુધી પથરાયેલી છે. જ્યારે ભારતમાં વસતા યાદવો (" ગૃહરિપુ, રા' ખેંગાર વગેરે) ના પૂર્વજોએ આફ્રિકામાંથી નીકળીને તારાબોળ નગરના રસ્તેથી આફ્રિકા, ઈજિપ્તમાં વસવાટ કર્યા બાદ ભારતમાં પ્રવેશ કર્યો છે. આ ઈતિહાસ ઘણો લાંબો છે. એમ શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230016
Book TitleAshtapadji Mahatirth kya
Original Sutra AuthorN/A
AuthorRamanbhai B Shah
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Geography
File Size620 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy