SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહેાસગ્રંથ એને પચાવી લેવાની બુદ્ધિ અને શક્તિ રાખે છે. આ કારણે વિરોધી મતભ્યેા વચ્ચે પણ શકચ સમન્વય કરવાનું વિશિષ્ટ વલણ એણે કેળવ્યુ છે. જોકે જૈનધર્મના આવા ઉદાત્ત દૃષ્ટિ િંદુને ન સમજવાથી શંકરાચાય, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય વગેરેથી માંડી આધુનિક યુગના સ્વામી દયાનંદ સરસ્વતી સુધીના ધર્માચાર્યોએ એને ઘણા અન્યાય કર્યો છે. આમ છતાં સ્વતંત્ર વિચારકા-સ’શાષકા એની ઉદાર અને ઉદાત્ત ન્યાયમુદ્ધિથી પ્રભાવિત પણ થયા છે. એવાઓમાં મધ્વાચાય મુખ્ય છે. જૈનધમ કાઈ પણ મત-સ...પ્રદાયને ખોટા કે પાખંડી ન કહેતાં એટલું જ કહે છે કે અન્યનું દૃષ્ટિમિંદુ સાચુ હોવા છતાં એકાંગી છે ને એ કારણે જ એમાં વિચારની અપૂર્ણતા રહી ગઈ છે. આ વિચારને સમજાવવા નદી અને સાગરનું ખાસ ઉદાહરણ આપવામાં આવે છે. કોઇ સાગર-નદીના સ‘ગમને સેવક-સેવ્યના અર્થાત્ જીવ-ઈશ્વરના મિલન-સંબંધ રૂપે જુએ છે; કોઈ એને જળના બિંદુએની જેમ આ વિશ્વને આત્માઓના સમૂહ માને છે. કોઈ એને કેવળ જલતત્ત્વરૂપે જુએ તેમ વિશ્વને કેવળ બ્રહ્મરૂપે જ જુએ છે; તો કેાઈ વળી એને 11,0 હાઈડ્રોજન-એક્ષીજનના સયેાગના પરિણામરૂપે એને આલયવિજ્ઞાનની કરામત જ માને છે. મહાવીર કહે છે કે રેકનુ બિંદુ છે તે સાચુ, પણ એ એકાંગી દઈન હાઈ અપૂર્ણ દન છે. પણ જ્યારે એને જોવા-સમજવાનાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓને અપનાવવામાં આવે છે ત્યારે જ એ દર્શન પૂર્ણ બને છે. મહાવીરની આ દૃષ્ટિને પછીના આચાર્યએ વિશદ રીતે સમજાવતાં કહ્યું છે કે સર્વÁનસંપ્રદ્ વૃતિ નૈનધર્મ:સત્યને જોવાની જુદી જુદી એકાંગી દૃષ્ટિએના સંગ્રહથી જ જૈનધર્મ સત્યદૃષ્ટિ અને છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ ‘ સન્મતિતક'માં મળ્યું મિચ્છાળ સમૂËÄ સમયસારણ ......એ ગાથા દ્વારા જિનવચનને મિથ્યા કનેાના સમૂહુરૂપ જણાવ્યુ છે. આન’ઘનજી જેવા મહાયેાગીએ પણ ‘ ષડ્ઝન જિન અંગ ભણીજે ’ પદ દ્વારા આ જ વસ્તુનું નિરૂપણ કર્યું છે; જ્યારે શ્રી વિનેાખાજી ભાવેએ ભગવાન મહાવીરના આ દૃષ્ટિદુને પેાતાની આગવી શૈલીમાં સમજાવતાં કહ્યું છે કે— “ કાઈ પણ એકાંગી વિચાર એ વિચાર જ નથી, અવિચાર છે. કારણ કે વસ્તુમાત્ર અનતધર્માત્મક હોઈ એના બધા જ પાસાઓને તપાસી જે સર્વાંગીણ વિચાર આપે છે એ જ સાચા વિચાર છે. આ દૃષ્ટિને કારણે તેએ ( ભગવાન મહાવીર ) જે કોઈ ને મળતા તેની ભૂમિકા પર જઈ ને તેને વિચાર સમજાવતા હતા; પેાતાના–નિજના જે વિચાર છે તેનુ' સામેવાળા પર આક્રમણ નહેાતા કરતા. પહેલાં પૂછી લેતા કે તે વ્યક્તિ કઈ રીતની વિચારપદ્ધતિમાં માને છે. જો ગૌતમ ગણધરની જેમ તે વેદેને માનતી હોય તે તેને વેઢાના આધાર આપી સમજાવતા. અગર તે બીજી પદ્ધતિમાં માનતી હૈાય તે તેને તે પદ્ધતિ પ્રમાણે સમજાવતા, અને પછી કહેતા કે ‘તમે જે વિચારો છે તે પણ ખરુ' હાઈ શકે છે; પણ તેનાથી જુદી વાતેા પણ ખરી હાઈ શકે છે. માટે હૃદયનાં દ્વાર હ ંમેશાં ખુલ્લાં રાખેા.' પણ એમને જે કાઈ એવી વ્યક્તિ મળતી કે જે પહેલેથી કાઈ પણ એક વિચારપદ્ધતિને વરેલી નહેાતી તે તેને તેએ પેાતાની રીતે વિચાર સમજાવતા,’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230008
Book TitleAnagrahi Mahavirni Satya Sanshodhanni Udar Drushti
Original Sutra AuthorN/A
AuthorRatilal M Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size531 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy