SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરો અને આચાર્યો તે જ સમયે પ્રભવે પણ ઓરડામાં આવીને જણાવ્યું કે જંબુ તેની પત્નીઓ સાથે વિચાર-વિમર્શ કરી રહ્યા હતા તે તેણે સાંભળ્યું હતું અને તેણે પણ આ સંસાર છોડવાનું નક્કી કર્યું છે. પ્રભવ અને પ્રભવના પ00 મિત્રો પણ જંબુના પગલે ચાલી નીકળ્યા અને જંબુના શિષ્યો બનવાનું નક્કી કર્યું. રાજગૃહીના લોકો સવારે જાગ્યા ત્યારે ચોંકાવનારા સમાચાર મળ્યા કે જંબુ, તેની આઠ પત્નીઓ, પ્રખ્યાત ઘરફોડ ચોર પ્રભવ અને તેના 500 સાથીદાર એ જ દિવસે સંસાર છોડી સાધુ થવાના છે. જેબુના માતા-પિતા પોતાનો ઇરાદો પૂરો ન થવાથી ખૂબ જ નાસીપાસ થઈ ગયા. તેઓ તથા આઠ પત્નીના માતા-પિતા પણ જંબુએ આપેલા સંદેશાનું મહત્ત્વ સમજ્યા અને જંબુ સાથે સંસાર છોડી દીધો. સહુ વરઘોડા રૂપે દીક્ષા ગ્રહણ કરવા સુધર્માસ્વામી પાસે ગયા. સુધર્માસ્વામીને નમસ્કાર કરી સહુ તેમના શિષ્યો બની ગયા. પ્રભવ અને તેના પOO સાથીદાર જંબુના શિષ્યો બન્યા. જંબુસ્વામીએ ભગવાન મહાવીરના સંપૂર્ણ ઉપદેશનો અભ્યાસ કર્યો. ભગવાનનો આ ઉપદેશ જે સુધર્માસ્વામી અને જંબુસ્વામી વચ્ચેના સંવાદ સ્વરૂપે છે તે જૈનધર્મશાસ્ત્રો અંગ આગમોમાં સચવાયેલો છે. સુધર્માસ્વામીના કેવળજ્ઞાન બાદ જંબુસ્વામી જૈનસંઘના વડા બન્યા. 44 વર્ષ સુધી આ સ્થાન નિભાવ્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. વર્તમાન આરાનાં તેઓ છેલ્લા કેવળી હતા. ૮૦વર્ષની ઊંમરે તેઓ નિર્વાણ પામ્યા. સુધમૉરવામાનો ઉપદેશ સાંભળીને જંબુ૨વામ(એ આ દુષ્યના જીવનનો ત્યાગ કરવાનો દઢપણે નિર્ણય કર્યો. ઍટલું જ નહીં તેમના વિચારૉઍ બીજા અનેકને તેમના રસ્તે ચાલવા પ્રેર્યા. તેઓ માનતા કે શરત સંયમ અને કરૂણાભર્યું જીવન જ મુક્તિ અપાવી શકેં. દુ0થવા સુખો અને શારીરિક સુંદરતા એ તૉ ક્ષક અને ઉપરછલાં છે. શોનો અનાતમાંથી ખત્રતા તરફના જીવન પરિવર્તનનો બૉસ ધ્યાનપાત્ર છે. મામાને પત્ર બનાવવો અનૅ અાને તે તરફ વાળવા માટે મદદશ્યપ થવું તે જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. 46. જૈન કથા સંગ્રહ
SR No.201008
Book TitleJambuswami Kevali
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages3
LanguageGujarati
ClassificationArticle, Jaina_Education, & 0_Jaina_education_Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy