________________
વિજય] પ્રસ્તાવના
૧૫ દિરની પ્રતિષ્ઠા કરાવી. વિશેષ માટે જુઓ શ્રીબુદ્ધિસાગરસૂરિ સંપાદિત જૈન રાસમાળા ભા. ૧માં મુદ્રિત એમના જ શિષ્ય જયવિજય કૃત કલ્યાણવિજયસૂરિ રાસ.
એમને શિષ્ય પરિવાર–પં. લાભવિજય–વ્યાકરણ શાસ્ત્રમાં અત્યંત પ્રવીણ હતા. યોગ શાસ્ત્રના શ્લોક રાત્રિ ઉપર ૫૦૦ અર્થ કરેલ છે એમ પટ્ટાવલીઓમાં ઉલ્લેખ મળે છે. ઉપરોક્ત દ્રવિહારની પ્રશસ્તિ એમણે રચી છે. (જુઓ જિન વિ.૨, ૩૭૯), સં. ૧૬૪૪ માં વૈરાટનગરના દેરાસરની પ્રશસ્તિ લખી. સં. ૧૬૫ર માં વિજયસેનસૂરિના શિષ્ય વિનયકુશળ રચેલા સ્વપન વૃત્તિયુક્ત મંડળ પ્રકરણ (પ્ર. આ. સભા.) સં. ૧૫૬ ખંભાતમાં હેમવિજયે રચેલા ઋષભશતકનું, સં. ૧૬૫૮ માં કલ્યાણવિજય અને મુનિ વિજ્યના શિષ્ય દેવવિજયગણિ કૃત જિનસહસ્ત્રનામનું સ્તોત્ર (તેની સુબાધિકા વૃત્તિયુક્ત) અને કમળવિજય શિષ્ય હેમવિજય ગણિ વિરચિત ચિંતામણિપાર્શ્વનાથ નામક દેરાસરની પ્રશસ્તિનું એમણે સંશોધન કર્યું હતું, એમની શિષ્ય સંતતિમાં–
૧ જીતવિજયપર–એમના શિષ્ય પદ્ધવિજયપ૩ થયા. ૨ નયવિજય–૧૫૪ એમના શિષ્ય સુપ્રસિદ્ધ ન્યાય વિશારદ
૧૫ર એ ગૃહસ્થ અવસ્થાએ નાગરના વતની હેઈ બાદશાહ, અકબર પાસે રહેતા અને તેના માનપત્ર ગણાતા. નામ જોતાશાહ. બાદશાહની અનુમતિથી મટી ધામધૂમપૂર્વક શ્રી હીરવિજયસૂરિ પાસે તેમણે દીક્ષા લીધી હતી.
– જુઓ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૨૨૯ ૧૫૩ મહાપા. યશોવિ. ના ગૃહસ્થાવસ્થાના સગા ભાઈ હતા નામ પદમસી.
૧૫૪ એમણે સં. ૧૬૯૨માં મેરવિજય કૃત યમકમય ચતુવિંશતિજિનસ્તોત્રની પ્રત મુનિ જશવિજયના વાચન માટે લખેલી હાલમાં અમને પ્રાપ્ત થએલી છે.