________________
સૂરિ ]
પ્રસ્તાવના
૧૧૩
કરાવેલ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. ૫૦૦ સાધુઓને દીક્ષા આપી. તે વર્ષમાં આનંદવિમળસૂરિએ કમગિરિમાં મારું કર્યું અને શ્રી પૂજ્યની આજ્ઞા વિના નાની વયની સાધ્વીને દીક્ષા આપી ને પછી સિદ્ધપુર શિરેણીમાં ૪ ચોમાસાં આનંદવિમળે કર્યો. ગુજરાતમાં આવી શ્રીપૂજ્યને પુછયા વગર સં. ૧૫૮૨ વૈશાખ સુદિ ૩ને દિને જુદા ઉપાશ્રયમાં રહ્યા, ત્યાં તેલ ધૂસરથી મલિન વસ્ત્રોની ઋષિ મતિ જેવી પ્રવૃત્તિ થઈ. શ્રીપૂ સં. ૧૫૮૩ માં વિસનગરમાં અસમાધિ થતાં વટપત્નિથી ચોમાસું રહેલા આનંદવિમળને બોલાવી ગ૭ભાર લેવા કહ્યું, પિતાને ગ૭ભારની જરૂર નથી એમ કહ્યું એટલે હેમવિમળસૂરિએ સ્વહસ્તથી સૌભાગ્યહર્ષસૂરિને પિતાની પાટે સ્થાપ્યા. સં. ૧૫૮૩ માં આશ્વિન સુદિ ૧૩ ના દિને સ્વર્ગસ્થ થયા.
એમના પ્રતિષ્ઠા લેખો સં. ૧૫૪૧-૪૬-૪૭-૪૮-૫૧-પર૫૩–૫૪–૫૫-૫૬-૫૭-૫૮-૬૧-૬૩-૬૪-૬૭–૭૧-૭૨–૭૬-૭૭૮-૮૧-૮૪ બુ. ૧, સં. ૧૫૫૧-૫૩-૫૫-૫૬-૬૩-૬૫-૬૬૬૭-૬૮-છ–૮૦-૮૪-૮૭ બુ. ૨, સં. ૧૫૫૯-૬૪-૬૬-૭૧૭૬ ના. ૧, સં. ૧૫૫-૫૪-૫૭-૬૦-૬૧-૬૫-૬૬-૮૦ ના. ૨, . એમને શિષ્ય પરિવાર બહોળો હતો, પરંતુ નીચે મુજબનાં નામે પ્રાપ્ત થયાં છે.
૧ આનંદવિમળસૂરિ–એમને જન્મ સં. ૧૫૪૭ ઈલાદર્શ (ઈડર) માં, પિતા ઓસવાળ મેઘજી, માતા માણેક, મૂળ નામ વાઘજી, દીક્ષા હેમવિમળસૂરિ પાસે સં. ૧૫૫ર માં, દીક્ષા નામ આનંદવિમળ (અમૃતમેરૂ–વીરવંશાવલી), સં. ૧૫૬૮ માં ઉપાધ્યાય પદ મળ્યું. સિદ્ધપુરમાં આચાર્ય પદ. સં. ૧૫૭૦ ડાબલા ગામમાં ખંભાત નિવાસી સોની જીવુ અને જળરાજે કરેલા ઉત્સવપૂર્વક પદ સ્થાપના થઈ. આ સમયે શિથિલતા પ્રવર્તતી હતી.