SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક દોષને પ્રસંગ આવે છે. એ કારણથી ઉપર કહેવામાં આવેલા પાપની વિશુદ્ધિને માટે દેવસિકદિ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. ફરી પણ સાંભળો ! જેવી રીતે લીલાછમ રહેલા છોડવાઓ (વૃક્ષના છોડવા) તાપથી તદ્દન સુકાઈ જાય તે એક વખત પાણી સીંચન કરવાથી તે લીલાછમ જેવા થઈ શકતા નથી, પરંતુ તે છોડવાઓને વારંવાર પાણીનું સીંચન કરવાની આવશ્યતા રહે છે એ પ્રમાણે વ્રતરૂપી છોડ અતિચાર રૂપી તાપથી તદ્દન સૂકાઈ ગયા તે તેને પૂર્વ જે સ્થિતિમાં હતા તેવી સ્થિતિમાં લાવવા માટે વારંવાર પ્રતિક્રમણ રૂપ પાણીનું સિંચન કરવાની આવશ્યકતા છે. એટલા માટે દેવસિક રાત્રિક આદિ સર્વ પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. અથવા– પ્રથમ તે ઈચ્છીએ કે તીવ્ર ઉપયોગની અખંડ પરિણતિ અને અવિચલા અવસ્થા દ્વારા પાપને લેપ પણ લાગવાજ નહિ દેવે જોઈએ પરંતુ જો કે પ્રમાદ આદિ દેના વશ થવાથી પાપને સંપર્ક થઈ જાય છે તે જ સમયે પશ્ચાત્તાપાદિ દ્વારા તેનો નાશ કરી દેવે જોઈએ. અથવા તે તે સમયે પશ્ચાત્તાપાદિ ન કરી શકાય તે દિવસ, રાત્રિ, પક્ષ, એ પ્રમાણે ચતુર્માસના અન્તમાં અનુક્રમથી પ્રતિક્રમણ દ્વારા પાપને નાશ કરી દેવું જોઈએ, એ જરૂરી વસ્તુ છે. જે વિશેષ, બલવાન પ્રમાદ આદિના કારણે આગળ જે સમય કહ્યો છે તે ભૂલી જવાય તે, અર્થાત આગળ કહેલા સમયે પ્રતિક્રમણની ક્રિયા નહિ બની શકે તે સંવત્સર (વર્ષ)ના અંતમાં મનુષ્યએ શુદ્ધ અંત:કરણ થઈને એક વર્ષ સુધીમાં જે પાપ લાગેલા હોય તેને યાદ કરીને પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. એ પ્રમાણે કરવામાં ન આવે તે લાગેલા પાપ વાલેપ જેવાં થઈ જશે, અર્થાત્ પાપથી પિતાને બચવાનું મુશ્કેલ થઈ પડશે. તે માટે દૃષ્ટાંત કહે છે કે – માની લેશકે કે મનુષ્યને કણ-દેણું-કરજ)ચૂકાવવા માટે પાંચ હપ્તાની મુદત બાંધી દીધી કે – “હું અમુક દિવસેમાં અમુક-અમુક ચુકાવીને આટલા દિવસોમાં મુકત થઈ જઈશ” આવી સ્થિતિમાં કઈ પણ સમજદાર દેણદારની એવી ભાવના થતી નથી કે જ્યારે મૂરત બંધને સમય પૂરો થશે ત્યારેજ હું સર્વ પ્રકારનું કરજ ચૂકાવી આપીશ ? પરંતુ જેટલું વહેલું કરજ ચૂકાવી શકાય તેટલી ઉતાવળથી કરજ ચૂકવવા બનતું કરશે તે સંસારમાં તેની શુભ દેખાશે. અથવા તે બીજી મુદ્દત ઉપર તમામ કરજ ચૂકાવી આપશે તે પ્રથમ કરતાં શેભા. છેડી ઓછી દેખાશે. ત્રીજી મૂત ઉપર ચૂકવશે તે બીજી કરતાં પણ શોભા ઓછી, ચેથી મુદત પર ચૂકવશે તો તેથી પણ ઓછી શોભા દેખાશે. છેવટે પાંચમી મૂદત પર કરજ ચકાવવું તે તે કરજદાર માટે એકદમ અયોગ્ય છે. તે પણ જો તે શ્રી આવશયક સુત્રમ ભાગ
SR No.040008
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages111
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy