SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ કથન સિદ્ધ થતું નથી. કેમકે પુરૂષાર્થ સિદ્ધિમાં જ્ઞાનમાત્ર નિબનતા કોઈ સ્થાને દેખતી નથી, એથી અહીં હેતુ અસિદ્ધ છે. તથા જે અગ્નિને પ્રજ્વલિત કરવા ઈચ્છતા હોય તે ફકત અગ્નિ કેવી રીતે પ્રજવલિત કરવામાં આવે છે ? ફકત આટલા જ્ઞાન માત્રથી જ અગ્નિ પ્રજવલિત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. અગ્નિ પ્રજવલિત થાય તે માટે બહારથી અનિ લાવશે, તેને પ્રજવલિત કરવા માટે પ્રયત્ન કરશે તથા બીજી જે પ્રક્રિયાઓ હશે તે બધી કરશે, ત્યારે અગ્નિ પ્રજવલિત થશે. આ પ્રમાણે તીર્થકર ભગવાન પણ ફકત કેવળજ્ઞાનમાત્ર પ્રાપ્ત કરીને જ મુકિત પ્રાપ્ત કરશે એવું નથી. તેની પ્રાપ્તિ માટે તેમને યથાખ્યાતચારિત્રરૂપ ક્રિયાની અપેક્ષા થશે. અતઃ પુરૂષાર્થની સિદ્ધિ અને ક્રિયા એ બને અવિનાભાવિની છે. આમ માનવું જોઈએ. પુરૂષાર્થની સિદ્ધિમાં જેમ જ્ઞાન કારણ હોય છે, તેમજ ક્રિયા પણ કારણરૂપ હોય છે. કેમકે ક્રિયા વગર પુરૂષાર્થ સિદ્ધિ અસંભવિત હોય છે. આ પ્રમાણે જ્ઞાન નિબધૂક થઈને પણ પુરુષાર્થ સિદ્ધિ ક્રિયા નિરપેક્ષ હોતી નથી. એથી તદવિનાભાવિવરૂપ જે હેતુ છે, તે ક્રિયારૂપ વિપક્ષની સાથે પણ અવિનાભાવી હોવા બદલ અનેકાંતિક છે. તેમજ જે ક્રિયાવાદીએ ક્રિયાયના પક્ષને લઈને “ચત ચરણમાનકુવારે તરી તwriળ રમ્' ઇત્યાદિ રૂપમાં કહ્યું છે, તો તે પણ સિદ્ધ થતું નથી. કેમકે સ્ત્રી તથા ભઠ્ય પદાર્થની ભેગાદિ ક્રિયાના સમયમાં પણ જ્ઞાન તે વિદ્યમાન હોય જ છે જે તે સમયે જ્ઞાન ન હોય તે તેમાં પ્રવૃત્તિ થાત નહીં તથા તીર્થકર ભગવાનને શૈલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ કિયા કાલમાં એવું તે છે જ નહિ કે જ્ઞાન ન હોય તે સમયે ત્યાં કેવળજ્ઞાન રહે જ છે. નહીંતર તેની પ્રાપ્તિ જ તેમને થાત નહી એથી કેવળ દિયાના અનન્તર ભાવરૂપથી પુરુષાર્થની રિદ્ધિ જોવામાં આવતી નથી. એથી આ હેતુ અસિદ્ધ છે. તથા જેમ તદનન્તર ભાવિત્વરૂપ હેતુ મુફત્યાદિના પુરુષાર્થની સિદ્ધિમાં ક્રિયાને કારણ રૂપથી સિદ્ધ કરે છે, તેમજ તે જ્ઞાનને પણ ત્યાં કારણ રૂપથી સિદ્ધ કરે છે, એટલા માટે આ હેતુ અનૈકાતિક પણ છે. કેમકે કિયાના સદુભાવમાં જ્ઞાનવિના પુરૂષાથની સિદ્ધિ કઈ પણ કાળે થતી નથી. આ પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એકએક અલગ રૂપમાં નહિ પણ બને સાથે મુક્તિ વગેરેની સિદ્ધિમાં કારણુરૂપ હોય છે. આ અટલ સિદ્ધાંત છે. ઉકતંચ " ના ક્રિીન ઈત્યાદિ તારમય આ પ્રમાણે છે કે કિયા હીન જ્ઞાન નિષ્ફળ છે, અને જ્ઞાનહીન ક્રિયાપણ વ્યર્થ છે દેખવા છતાંએ પંગુ બની ગયા છે અને દેડતે હોવા છતાં આંધળે બળી ગયે. અહીં પરસ્પર નિરપેક્ષ જ્ઞાન અને ક્રિયામાં પંચું અને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૮૧
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy