SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ નીસ્થિતિ અન્તર્મુહૂર્તની છે. તથા અનેક પ્રકારના ની અપેક્ષા સર્વ સામાયિકોની સ્થિતિ સર્વોદ્ધાકાળ છે. તદુકામ-“સત્તર સુચન ” ઈત્યાદિ ગાથાઓને અર્થ આ પૂર્વોક્તરૂપમાં હોય છે. હવે સૂત્રકાર ૨૦ માં દ્વારનું કથન કહી રહ્યા છે કે સમ્યકત્વ વગેરે સામાયિ. કોના વિવક્ષિત સમયમાં પ્રતિપદ્યમાનક પૂર્વ પ્રતિપન્નક અને પ્રપતિત છ કેટલા હોય છે? ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશ હોય છે, તેટલા પ્રતિપદ્યમાનક જ સમ્યક્ત્વ સામાયિક અને દેશવિરતિ, સામયિકના એક કાળમાં હોય છે. આમાં પણ દેશવિરતિના પ્રતિપત્તાઓ-ધારકોની અપેક્ષા સમ્યકત્વ સામાયિકના પ્રતિપત્તાધારક અસંખ્યાત ગણું હોય છે. જઘન્યની અપેક્ષા એ એક અથવા બે સુધી થઈ શકે છે. તથા સંવર્તિત ચતુરસ્ત્રીકૃત લકની સાત રજુપ્રમાણ એક પ્રાદેશિક જે શ્રેણું હોય છે, તે શ્રેણીના અસં. ખ્યાતમાં ભાગમાં જેટલા નભ:પ્રદેશ હોય છે, તેટલા પ્રતિપદ્યમાનક જીવો એક કાળમાં સમ્યક કૃત અને મિથ્યાશ્રત આ ભેદેથી રહિત એવા અક્ષરો સામાન્ય શ્રુતાત્મકશ્રતના ઉત્કૃષ્ટની અપેક્ષા હોય છે. તથા જઘન્યની અપેક્ષાથી એક, અથવા બે સુધી હોય છે. તથા સર્વવિરતિ સામાયિકના પ્રતિપત્તા-ધારક છે એક કાળમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ સહસ્ત્ર પૃથફત્વ સુધી હોય છે. તથા જઘન્યની અપેક્ષાએ એક અથવા બે સુધી હોય છે. તથા સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક એ બે સામાયિકના પૂર્વ પ્રતિપનક જીવો એક સમયમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે અસંખ્યાત હોય છે. પરંતુ જઘન્ય અસ ખ્યાતના.અ૫ક્ષા ઉત્કૃષ્ટ અસંખ્યાત કંઈક વિશેષાધિક હોય છે.' પ્રતિપત્તાએ ધારકોની અપેક્ષાએ પૂર્વ પ્રતિપન્નક જે જઘન્યપદમાં કહેવામાં આવેલ છે, તે અસંખ્યાતગણુ અધિક હોય છે. ચારિત્રસામાયિકના જે પૂર્વ પતિપન્નક જીવે છે તે સંખ્યાત ગણા છે. તેઓ જે સંખ્યાત ગુણિત કહેવામાં આવેલ છે તે ચારિત્રસામાયિકના પ્રતિપત્તા જીવોની અપેક્ષાએ જાણવા જોઈએ. તથા સમ્યક્ અને મિથ્યા આ બે વિશેષણોથી રહિત સામાન્ય અક્ષરાત્મક શ્રત સામાયિકના એક કાળમાં પૂર્વ પ્રતિપન્નક જીવો તેટલા હોય છે કે જેટલા નભ પ્રદેશ ઘનસમચતુરસ્ત્રીકૃત 'લેકમતરના અસંખ્યાતમાં ભાગમાં આવેલ અસંખ્યાત શ્રેણીઓમાં હોય છે. તથા–ચારિત્ર સામાયિક સમ્યકત્વ સામાયિક આ સામાયિકોથી જે છ પ્રપતિત થયેલા છે, તે સમ્ય ત્વ આદિ સામાયિકોના પ્રતિપત્તા જીવોની અપેક્ષાથી અને પૂર્વ પ્રતિપન્નક જીની અપેક્ષાથી અનંતગણુ હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કેચારિત્ર સામાયિકને પ્રાપ્ત કરીને જે છે તેનાથી અપ્રતિત થઈ ચૂક્યા છે. તે જ આ સમ્યકત્વ વિગેરે સામાયિકના પ્રતિપત્તા થી અને પૂર્વ પ્રતિપન્નક ર૦ ૧૦૭ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy