SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર સામાયિકના પ્રતિપત્તા હોઈ શકે છે અને પૂર્વ પ્રતિપન્નક પણ હોઈ શકે છે. આ પ્રમાણે અહીં સુધી સોળમાં દ્વારના ૩૬ અંતર દ્વારે સમાપ્ત થયા. ૩૧ થી ૩૬ કયા દ્રામાં અને કઈ પર્યાયમાં સામાયિક પ્રાપ્ત થાય છે આ ૧૭ મું મૂલદ્વાર છે. સૂત્રકાર, હવે તે વિષે ચર્ચા કરતાં કહે છે કે-સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યામાં સમ્યક્ત્વ જે સામાયિક હોય છે તે સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પર્યાયના શ્રદ્ધાન રૂપ હોય છે. શ્રતસામાયિક જે હોય છે તે સમસ્ત દ્રવ્યમાં તે પ્રાપ્ત થાય જ છે પરંતુ સમસ્ત પર્યાયામાં નહિ કેમ કે પર્યાયે અભિલાષ્ય અને અનભિલાખના ભેદથી બે પ્રકારના હોય છે. જે અભિલાય પર્યાય છે, શ્રત તેમને વિષય બનાવે છે, અનભિલા પર્યાય ને નહિ, ચારિત્રરૂપ જે સામાયિક છે તે પણ સમસ્ત દ્રવ્યમાં તે પ્રાપ્ત થાય જ છે પરંતુ સમસ્ત પર્યાયમાં નહિ દેશવિરતિ જે છે તે ન તો સવ.. દ્રામાં પ્રાપ્ત થાય છે અને ન સર્વ પર્યાયામાં પ્રાપ્ત થાય છે. તદુપ્તચ-“દવનય સમાં સુવાનિ જા સર” વગેરે ગાથાને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. હવે સૂત્રકાર અઢારમાં દ્વાર વિષે કહે છે. સામાયિક જીવ કેવી રીતે પ્રાપ્ત કરે છે, તે આ સંબંધમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે મનુથત્વ આર્યક્ષેત્ર, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, ધમ શ્રવણ. ધર્માધારણ, શ્રદ્ધા અને સંયમ આ ૧૨ સ્થાન લેકમાં એકદમ દુર્લભ છે. એમની પ્રાપ્તિ થવાથી જીવ સામાયિકને પ્રાપ્ત કરે છે. તદુકામ-“માધુરણ કાઉનાળનારથે પુરી” ઈત્યાદિ ગાથા વડે એજ પૂર્વોક્ત વાત પ્રકટ કરવામાં આવી છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સામાયિકની પ્રાપ્તિમાં મનુષ્યત્વ વગેરે બધાં હેતુ રૂપ હોય છે. તથા સામાયિકની સ્થિતિ કેટલી છે. આ જે ૧૯ મું દ્વાર છે તે પણ કહેવું જોઈએ. જેમ સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક એમની લબ્ધિની અપેક્ષાએ એ બન્ને સામાયિકોની ઉત્કૃષ્ટસ્થિતિ કોટિ પૃથકુત્વ અધિક ૬૬ સાગરોપમ પ્રમાણ છે. દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકોની લબ્ધિની અપેક્ષા એ બને સામાયિકોની ઉત્કષ્ટસ્થિતિ દેશના એક પૂર્વકેટિની છે. તથા સામાયિકત્રયની લબ્ધિની અપેક્ષાએ ત્રણ સામાયિકોની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્તાની છે. સર્વવિરતિ સામાયિકની જઘન્ય સ્થિતિ એક સમયની છે કેમ કે ચારિત્ર પરિણામના આરંભના સમયની પછી જે આયુષ્યને ક્ષય થઈ શકે છે. ઉપયોગની અપેક્ષા સમસ્ત આયુષ્કો અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy