SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને તેમને તેણે અતીવ સંપુષ્ટ કરી લીધા છે, તે તે તીર્થકર નામ ગોત્ર કર્મને બંધ કરે છે. જે ભવમાં તે તીર્થંકર નામગાત્રને બંધ કરે છે, તેને તે ભવ પ્રથમ ભવ હોય છે, ત્યાર પછી તે મરણ પામીને બીજા ભવમાં કાંત દેવપર્યાયમાં જાય છે, કાં નાકપર્યાયમાં, તે આમ તેને આ દ્વિતીય ભવ હોય છે. ત્યાંથી નીકળીને ફરી તે મનુષ્ય ભવમાં આવે છે. અને આ તેને તૃતીય ભવ હોય છે આ ભવમાં તે તીર્થંકર થઈને સામાયિક પ્રરૂપણા વગેરે વડે તીર્થંકર નામકર્મને ક્ષય કરીને સિદ્ધ થઈ જાય છે. તેમજ ગૌતમ વગેરે ગણુઘર જે કારણુથી સામાયિકનું શ્રવણ કરે છે. તે કારણે આ પ્રમાણે છે ભગવાનના મુખારવિંદથી નિર્ગત જે સામાયિક છે. તે સામાયિક શ્રમણ કરવાથી તેમને જ્ઞાન થાય છે. એથી જ્ઞાન પ્રાપ્તિ માટે જ ગણધરે સામા યિકનું શ્રમણ કરે છે. જે જ્ઞાન સામાયિક શ્રમણ કરવાથી ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન શુભ અને અશુભ પદાર્થોના અવધ માટે હોય છે માટે એથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય છે. હવે જે આ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ છે, તે તપ અને સંયમમાં કારણરૂપ હોય છે. જયારે તપ અને સંયમને સદ્ભાવ આત્મામાં છે, ત્યારે પાપકર્મનું ગ્રહણ આત્મામાં હોતું નથી. આનાથી પૂર્વસંચિત કર્મોની નિર્જરા થાય છે, જીવના પ્રદેશથી કર્મોમાં પૃથકકરણ હોય છે, આથી જીવમાં અશરીરતા અને એથી અનાબાધતા હોય છે. એથી જીવ વેદના રહિત થઈ જાય છે. અને વેદના રહિત થવાથી તે આકુલતા રહિત બનીને સમસ્ત ભાગથી રહિત થઈ જાય છે. ભાવરોગથી તે અચળ થઈને સિદ્ધિ ક્ષેત્રમાં શાશ્વત વિરાજમાન થઈ જાય છે. અને અવ્યાબાધ સુખભેંકતા થઈ જાય છે. આ પ્રમાણે પરંપરા રૂપથી અવ્યાબાધ સુખ પ્રાપ્તિ નિમિત્ત સામાયિકનું, શ્રમણ છે. તદુકામ म. ९९ “જોના સામાર તુ જ ” વગેરે ગાથાઓનો ભાવાર્થ પૂર્વોકત :રૂપમાં જ થાય છે. તથા જે પ્રત્યય વિશ્વાસને લઈને ભગવાન સામાયિક વિષે ઉપદેશ કરે છે, અને જે વિશ્વાસના આધારે ગણધર ભગવ. પદિષ્ટ સામાયિકનું શ્રવણ કરે છે, એ તે પ્રત્યય પણ કહેવું જોઇએજેમ “હું કેવલી છુ” કેવલ જ્ઞાનવાળો છું. આ વિશ્વાસથી તીર્થકર સામાયિકનું કથન કરે છે, તેમજ આ ભગવાન સર્વજ્ઞ છે. આ નિશ્ચયથી ગણુધરે તે ઉપદિષ્ટ સામાયિકનું શ્રવણ કરે છે. તદુકતમ-વઢનાળgsણંતિ ળિો સામર્શ કવિરુ' ઈત્યાદિ ગાથાને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. તેમ જ સામાયિકનું લક્ષણ પણ કહેવું જોઈએ-જેમ “સમ્યકૂવ સામાયિકનું લક્ષણ તત્વાર્થની શ્રદ્ધા છે. શ્રુત સામાયિકનું લક્ષણ છવાદિ તત્ત્વનું પરિણાને થયું છે. ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવધ થવાથી વિરતિ થવું છે. દેશ વિરતિ અવિરતિરૂપી મિશ્ર સ્વરૂપ છે, તદુકતમ-કાજાફરાદ્ધ કરવળાં દિગદ લિરિદિવગેરે ગાથાને ભાવ પૂર્વોક્ત રૂપમાં જ છે આ નવમ દ્વાર છે. તેમ જ આ દશદ્વારમાં મૈગમ વગેરે નાનું વિવેચન કરવું જોઈએ. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy