SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવે છે. કે સામાયિક કયાંથી નિર્ગત થયેલ છે? આ દ્વાર પણ આ ઉપદુઘાત નિર્યુકિત અનુગમમાં કહેવું જોઈએ. જેમકે અર્થની અપેક્ષા: આ સામાયિક ભગવાન મહાવીરથી નિર્ગત છે, અપેક્ષા ગૌતમ વગેરે ગણુધરાથી નિગત છે. શંકા-પહેલા આગમદ્વારમાં ૨૧૯ માં સૂત્રમાં આમાગમ, પરંપરાગામ અનંતરાગમને જ્યારે વિચાર કરવામાં આવ્યો ત્યારે આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે આ સામાયિક પર પરાથી તીર્થંકરથી જ ચાલતું આવે છે. ત્યારે તીર્થકરોથી આનું નિર્ગમન છે, આ વાત તે જણાઈ જ આવે આવે છે તે પછી, અહી નિગમનું ઉપાદાન કેમ કરવામાં આવ્યું ? ઉત્તર--ત્યાં આગમ દ્વારમાં સામાન્ય ઉદેશમાત્રથી તીર્થકરોનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. અને અહીં તેમનું વિશેષ અભિધાનરૂપ નિરેશ કરવામાં આવેલ છે. તેમજ અહી નિગમમાં ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય આ સવ વિશેષતાઓથી વિશેષિત સામાયિકનું નિર્ગમન કહેવામાં આવેલ છે. એટલા માટે પણ ત્યાંથી તેમાં વિશિષ્ટતા છે. આ પ્રમાણે આગમ દ્વારમાં સામાન્ય રૂપથી કથન હોવા છતાંએ તેજ કથન અહીં અનેક વિશેષતાઓને લઈને કરવામાં આવેલ છે તેથી તેમાં પુનિરુકિત દેષનો પ્રસંગે ઉપસ્થિત થતું નથી. તેમજ ક્ષેત્ર અને કાળ-પ્રમાણુકાળ અને ભાવકાળનું પણ કથન કરવું જોઈએ, જેમ કે કયા ક્ષેત્રમાં, કયા કાળમાં, કયા ભાવમાં સામાયિક ઉત્પન્ન થયેલ છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે આ પ્રમાણે કહેવું જોઈએ કે ક્ષેત્રમાં, મધ્યપાવાપુરીમાં મહાસેન વઘાનમાં, કાળમાં વૈશાખ શુકલ ૧૧ ના દિવસે પ્રથમ પૌરૂષીકાળમાં, ભાવમાં–ક્ષાયિક ભાવમાં, વર્તમાન ભાગવાન મહાવીરના મુખથી અનંતર સામાયિક નિર્ગત થયેલ છે. એના સિવાય જે સામાયિક નિર્ગત થયેલ છે પરંપર સામાયિક કહેવાયું તદુતમારા કુદ્ધ દત્યાવિ આ ગાથાનું તાત્પર્ય એ જ મૂકતા રૂપમાં છે. તથા જે પુરૂષથી આ સામાયિક નિર્ગત થયેલ છે, તે પુરૂષનું પણ કથન કરવું જોઈએ જેમ અર્થની અપેક્ષા આ સામાયિક ભગવાન મહાવીરથી નિર્ગત છે. અને સૂત્રની અપેક્ષાએ ગતમાદિ ગણધરોથી નિગત છે. તકતમ “અરથો ૧ રા’ ઈત્યાદિ આ ગાથાનું તાત્પર્ય પૂર્વોકત રૂપમાં જ છે. તથા જે કારણથી તીર્થકર સામાયિક કહે છે, અને જે કારણથી ગણધરે તેને સાંભળે છે, તે કારણુ કથન પણ કરવું જોઈએ. જેમ-મેં તીર્થકર નામ ગોત્રને બંધ કર્યો છે, એથી તે મને વેદન કરવા ગ્ય છે, આ કારણને આશ્રિત કરીને તીર્થકર સામાયિકનું કથન કરે છે, તદુતરિયા ઉ M” ઈત્યાદિ આ ગાથાને ભાવ પકત રૂપમાં જ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે, તીર્થકર તીર્થકર ભવને ગ્રહણ કરતાં પહેલાં તૃતીય ભવમાં વગર કોઈપણ જાતના ગ્લાનિ ભાવથી ધર્મદેશના આદિ કાર્યો કરે છે. એથી તે તીર્થકર નામ ગોત્રનો બંધ કરી લે છે. આ તીર્થંકર નામ ગોત્ર કમ બંધ મનુષ્ય ગતિમાં જ કરે છે, ભલે તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય, આમાંથી કેઈપણ હોય, જે છે તે શુભલેયા યુકત છે, અને વિશતિ (૨૦) સ્થાન કેને તેણે સારી રીતે વારંવાર આસેવન - કર્યા છે યા આ વિશ સ્થાનેમાંથી એક, બે ત્રણ વગેરે સ્થાનનું સેવન અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy