SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવરૂપ છે, એથી ભાવપ્રમાણમાં અને સમવતાર હોય છે, ભાવપ્રમાણુ-ગુણપ્રમાણ, નયપ્રમાણ અને સંખ્યા પ્રમાણુ આ પ્રમાણે ત્રણ પ્રકારનાં છે, એથી આ અધ્યયનને સમવતાર ગુણપ્રમાણ અને સંખ્યા પ્રમાણ આ બન્નેમાં થાય છે. નયપ્રમાણમાં નહીં–જે કે “જાણકા ૪ યાર' રચાિરો જૂવા” અર્થાત આ વચન મુજબ કેઈક સ્થાને નયપ્રમાણમાં પણ આને સમાવતાર કહેવામાં આવેલ છે, છતાં એ આ સમયે તથાવિધ નયના વિચારને અભાવ હોવા બદલ યથાર્થતઃ તેમાં આને અનવતાર જ જાણવો જોઈએ. કહ્યું પણ છે કે“ જાયિં તુ નયા મોતિ” અર્થાત્ આચારાંગારિક કાલિકકૃત મૂઢનયવાળા એટલે કે નય વિનાના હોવાથી તેમાં નાનો સમવતાર થસે નથી. તેમજ “મૂઢનદં તુ ન સંઘરૂ નથજમાનાવાશે સે' આ બંને પ્રમાણેથી પણ આ પુષ્ટ થાય છે કે “સામાયિક અધ્યયનના સમવતાર નયપ્રમાણમાં થતો નથી જીવ અને અજીવના ગુણેના ભેદથી ગુણપ્રમાણુ બે પ્રકાર હોય છે. એથી આ સામાયિકને સમવતાર જીવને ઉપગ રૂપ તેવા બદલ અવગુણપ્રમાણમાં થયેલ છે. જીવ ગણપ્રમાણ પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ રૂપમાં કહેવામાં આવેલ છે. તે તેમાંથી આને સમાવતાર જ્ઞાનરૂપ હવા બદલ જ્ઞાનપ્રમાણું હોય છે. જ્ઞાનપ્રમાણ પણ, પ્રત્યક્ષ, અનુમાન, અગમ અને ઉપમાનના ભેદથી ચા૨ રૂપમાં કહેવામાં આવેલ છે. તે આ સામાયિક આપ્તપદેશ રૂપ હોવા બદલ આગમ હોવાથી આગમ પ્રમાણમાં અન્તર્ભાવ થાય છે. આગમ પણું લૌકિક આગમ અને લોકોત્તરના ભેદથી બે પ્રકારનો હોય છે. તે તીર્થકર વડે પ્રણીત હોવા બદલ સામાયિકને સમાવતા૨ લોકોત્તર આગમમાં થાય છે. લોકોત્તર આગમ પણ આત્માગમ, અનન્તરાગમ અને પરમ્પરાગમના ભેદથી ત્રણ પ્રકાર હોય છે, તે આ ત્રણે પ્રકારના આગમમાં આને સમાવતાર જાણવું જોઈએ, સંખ્યાપ્રમાણુ નામ, સ્થાપના શ૦ ૨૨ દ્ર, ઔષમ્ય પરિમાણ, જ્ઞાન ગણના અને ભાવના ભેદથી આઠ પ્રકારનું કહેવામાં આવેલ છે. આને અન્તર્ભાવ પણ ત્યાં પરિમાણુ સંખ્યા પ્રમાણમાં થયેલ છે. વક્તવ્યતા પણ ત્રણ કે બે પ્રકારની કહેવામાં આવેલ છે, તે તેમાં પણ આને સમવતાર સમય વકતવ્યતામાં થયેલ છે. જય પરાજય વકતવ્યતાનું વર્ણન છે, તો તે બંને પ્રકા ૨ની વકતવ્યતાઓ પણ નિશ્ચયનયની માન્યતા મુજબ નથી. તેની માન્યતા મુજબ તે ફકત એક ભવસમયવકતવ્યતા જ છે. પરસમય વકતવ્યતા અને તદુભયવકતવ્યતા એ બને પણ જ્યારે સમદષ્ટિ જીવ વડે પરિગ્રહીત થાય છે, ત્યારે એ વસમય વકતવ્યતા રૂપ જ થઈ જાય છે. કેમકે સમ્યગૃષ્ટિ જીવ પરસમયને પશુ વસમયના અનુરૂપ જ સમજે છે. તે એકાંત પક્ષનું અવલબન ગ્રહણ કરતું નથી પરંતુ સ્વાસ્વાદની મુદ્રાથી તેમને મુદ્રિત કરીને પોતાની યોગ્યતા મુજબ અભિપ્રેતાર્થ સાધક બને છે. એથી સમ્યગુ દષ્ટિ વડે પરિગ્રહીત સમરત વિષય પણ સ્વસમયરૂપ જ હોય છે. એથી સર્વ અધ્યયને અવતાર વસ્તુ નૃત્યા સ્વસમય વકતવ્યતામાં જ થાય છે. ઉકતંચ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૯
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy