SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ-જેમાં રૂપ, ગંધ, રસ અને સ્પર્શને સદ્ભાવ હોય છે, તેનું નામ પુદગલ છે. તે પુદ્ગલના બે ભેદ કહ્યા છે. (૧) અણુ અને (૨) સ્કન્ધ ભલે ગમે તેટલા પ્રકારના પુદ્ગલે હોય પણ તે બધાંને આ બે ભેદમાં સમાવેશ થઈ જાય છે, જે પુદ્ગલ દ્રવ્ય અતિ સૂક્ષ્મ હોય છે, જેના વિભાગ થઈ શકતા નથી, અને તે કારણે જે પોતે જ પિતાના આદિ રૂપ, પિતાના અન્તરૂપ અને પિતાના મધ્યરૂપ હોય છે, જે બે સ્પર્શ, એક રસ, એક ગંધ અને એક વર્ણથી યુક્ત હોય છે, એવાં પુદ્ગલ દ્રવ્યને પરમાણુ કહે છે. જો કે પુદ્ગલ કમ્પમાં સ્નિગ્ધ અને કાર આ બે સ્પર્શીમાને એક સ્પર્શ, શીત અને ઉબણ, આ બેમાંથી એક, મૃદ અને કઠોર આ બે સ્પર્શમાંથી એક લઘુ અને ગુરુ, આ બેમાંથી એક, એમ ચાર સ્પર્શીને સદૂભાવ હોય છે, પરંતુ પરમાણુ અતિ સુક્ષમ હોવાને લીધે તેમાં મૃદુ, કઠોર, લઘુ અને ગુરુ, આ ચાર સ્પર્શીના સદભાવને તે પ્રશ્ન જ ઉદ્ભવતે નથી. તેથી તેમાં માત્ર બે સ્પર્શોને જ સદ્દભાવ માનવામાં આવ્યો છે. તે પરમાશુમાંથી અન્ય દ્વયણુક (બે અણુવાળા) આદિ કપ બને છે. તેથી સ્કન્ધ બનાવવામાં તે કારણભૂત બને છે-કાર્યભૂત બનતું નથી. જો કે હયણુક આદિ કોને વિભાગ થવાથી પરમાણુની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે, તેથી તે પણ કયારેક કાર્યરૂપ બને છે. પરંતુ મૌલિક રૂપે પુદ્ગલની તે સ્વાભાવિક દશા છે, તેથી વસ્તુતઃ તે કેઈન કાર્યરૂપ નથી. તે પરમાણુનું જ્ઞાન ઇન્દ્રિયોથી થતું નથી, પરંતુ કાર્યલિંગ દ્વારા તેને અનુમાન જ્ઞાનથી બોધ થાય છે. બે અથવા બેથી વધારે પરમાણુઓના સંશ્લેષથી સ્કન્ધ બને છે, દ્વયક સ્કૂધ તે પરમાણુ ઓના સંશ્લેષથી જ બને છે, પણુ અણુક (ત્રણ અણુવાળે) આદિ કો પરમાણુઓના સંશ્લેષથી પણ બને છે અથવા વિવિધ સ્કન્ધના સંશ્લેષથી પણ બને છે. તેથી દ્વયક સ્કન્ધ સિવાયના બાકીના બધાં સ્કન્ધ પરસ્પર કાર્ય પણ છે અને કારણ પણ છે-જે સ્કમાંથી તેઓ બને છે તે સ્કન્ધના કાર્યરૂપ અને જે કોને તેઓ બનાવે છે તેમના કારણરૂપ છે, એમ સમજવું. . . ૪૫ છે “નામવાળો પુત્રમવાળુવેરમેન મણિકચાળો' ઇત્યાદિ– શબ્દાર્થ (નામયગાળો પુવમળિયાળુ રમેળ મારિવાળો) નામસ્કલ્પ અને સ્થાપનાકપના સ્વરૂપનું નિરૂપણ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકના સ્વરૂપનું પ્રતિપાદન કરનારાં ત્રો પ્રમાણે જ સમજવું નહીં. એટલી જ વિશેષતા સમજવાની છે કે નામ આવશ્યકને બદલે નામકલ્પ અને સ્થાપના સ્કન્ધ સૂત્રોનું કથન થવું જોઈએ. ! સૂત્ર ૪૬ ! અનુયોગ દ્વાર સુત્રમ ૭૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy