SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવશ્રુતકે પર્યાયકા નિરુપણ હવે સૂત્રકાર ભાવકૃતના પર્યાયવાચી શબ્દોનું કથન કર છે– તાં રૂએ ઈત્યાદિ– શબ્દાર્થ—(તHi મે નાના નાવિંગ ક્રિયા નામના મયંતિ) તે શ્રુતના, ઉદાત્ત અનુદાત્ત આદિ વિવિધ સ્વરોથી યુક્ત અને કાર આદિ અનેકવ્યંજનેથી યુકત એકાWવાચક નામે છે. (તંગ) તે નામ નીચે પ્રમાણે છે (सुयसुत्तगंथसिद्धतसासणे आणवयण उबएसे पन्नवण आगमे विय છઠ્ઠા નવા મુ) (૧) શ્ર-ગુરુની સમીપે તેનું શ્રવણ કરવામાં આવે છે, તે કારણે તેનું નામથુત છે. (૨) સૂત્ર-અર્થોની સુચના તેના દ્વારા મળે છે તેથી તેનું બીજું નામ સૂત્ર છે. (૩) ગ્રન્થ-તીર્થંકર રૂપ કલ્પવૃક્ષના વચનરૂપી પુપોનું તેમાં ગ્રંથન થયેલું હોવાથી તેનું નામ ગ્રન્થ છે. (૪) સિદ્ધાંત પ્રમાણુપ્રતિષ્ઠિત અર્થને તે પ્રમાણભૂતની કટિમાં સ્થાપિત કરી દે છે તેથી તેનું નામ સિદ્ધાંત છે. (૫) શાસન મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિમાં પ્રવૃત્ત થયેલી વ્યકિતઓને તેનાથી દૂર રહેવાની શિક્ષા તે આપે છે, તેથી તેનું પાંચમું નામ શાસન છે (૬) આજ્ઞા-તેના દ્વારા મનુષ્ય આદિને અમુક આજ્ઞાઓ આપવામાં આવે છે, તેથી તેનું છઠું નામ આજ્ઞા છે. (૭) વચનવાણી દ્વારા તેને સ્પષ્ટ કરવામાં આવે છે, તેથી તેનું નામ વચન છે. (૮) ઉપદેશ-તેના દ્વારા ઇવેને ઉપાદેયમાં પ્રવૃત્ત થવાની અને અનુપાદેય (હેય પદાર્થો)થી નિવૃત્ત થવાની શિક્ષા (ઉપદેશ) મળે છે, તેથી તેનું આઠમું નામ ઉપદેશ છે. (૯) પ્રજ્ઞાપના-તેના દ્વારા, જીવાદિક પદાર્થો જે રૂપે વર્તમાનમાં છે એજ રૂપે પ્રજ્ઞાપિત કરવામાં આવે છે એટલે કે જીવાદિક સમસ્ત પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રજ્ઞાપિત કરવામાં આવે છે, તેથી તેનું કામ પ્રજ્ઞાપના છે. (૧૦) આગમ-આચાર્ય પરમ્પરાથી તે ચાલ્યું આવે છે, તેથી તેનું નામ “આગમ” છે. આ બધા શ્રતના સ્કન્ધીકાર કા નિરુપણ પર્યાયવાચી શબ્દો છે, એમ સમજવું જોઈએ. (હે તે સુઈ) આ પ્રકારે અહીં શ્રતનું નિરૂપણ સમાપ્ત થાય છે. એ સૂત્ર ૪૪ છે - હવે સત્રકાર “áર્ષ વિવિજ્ઞાન” આ કથન અનુસાર સ્કન્ધાધિકારને પ્રારંભ કરે છે–તે ફ્રિ નં વ” ઈત્યાદિ| શબ્દાર્થ-(સે વધે?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! કમ્પનું કેવું સ્વરૂપ હોય છે? ઉત્તર-વધે રવિદે von) સ્કલ્પના સ્વરૂપનું નિરૂપણ કરવા નિમિત્તે તેના ચાર પ્રકાર કહ્યા છે. (સંન) તે પ્રકાર નીચે પ્રમાણે છે-નામધે, વાસ્ત્ર, વવધે, માવાંવ) (૧) નામસ્કલ્પ, (૨) સ્થાપના સ્કલ્પ, (૩) દ્રવ્યસ્કન્ધ અને (૪) ભાવક સ્કન્ધ શબ્દનો અર્થ “પુદંગલ પરમાણુઓના સંશ્લેષ” સમજ આ સૂત્રની વ્યાખ્યા આગળ કહેલી વ્યાખ્યા પ્રમાણે સમજવી. અનુયોગ દ્વાર સુત્રમ ૭૪
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy