SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જે જીવદ્રવ્ય સત્ હોય તો કયું છવદ્રવ્ય એવું છે-સંસારી જીવદ્રવ્ય એવું છે કે મુકત જીવદ્રવ્ય એવું છે ? આ પ્રકારે આ વ્યવહારનય ત્યાં સુધી ભેદ કરતે જ જાય છે કે છેવટે એમાંથી અન્ય કોઈ ભેદ પાડી શકાય જ નહીં. જે વિધિથી સંગ્રેડ કરવામાં આવે છે, એજ વિધિથી તેમને વિભાગ કરવામાં આવે છે. આ પ્રકારે ગમનયની જેમજ અનુપયુકત એક દેવદત્ત આદિ વ્યક્તિ એક આગમ દ્રવ્યાવશ્યક છે. અનુપયુકત બે વ્યકિત બે આગમદ્રભાવશ્યક છે. અનુપયુકત ત્રણ વ્યકિત ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. એ જ પ્રમાણે જેટલી આગમમાં અનુપયુકત વ્યકિતઓ હોય, એટલાં જ ગમદ્રવ્યાવશ્યક સમજવા. જે પ્રકારે ગમન વિશેષ રૂપ અર્થની પ્રરૂપણા કરે છે, એ જ પ્રમાણે તેની પ્રરૂપણા વ્યવહુન્નય પણ કરે છે. એટલા પુરતી એ બન્નેમાં સમાનતા છે. તે કારણે સૂત્રકારે કમપ્રાપ્ત સંગ્રહનયને છેડીને શાસ્ત્રની લઘુતાને નિમિત્ત તૈગમનયની પછી અને સંગ્રહનીના પહેલાં વ્યવહારનયને ઉપન્યાસ કર્યો છે. સંગ્રહનયની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક એક જ છે. તે આ પ્રમાણે સમજવું-સામાન્ય માત્રને વિષય કરનારો જે પરામર્શ (અભિપ્રાય-માન્યતા છે કે નામ સંગ્રહાય છે. તે સંગ્રહનય પસામાન્ય અને અપર સામાન્ય વિજય કરે વાની રાષ્ટએ બે પ્રકારે છે. પર સામાન્યને વિય કરનારો પત્રનય છે અને અપસામાને વિય કરનારો અ૫રા હનય છે સત્તા નામના *હાસામાન્યને પસામાન્ય કહે છે. દ્રવ્ય, પર્યાયત્વ, આદિ જે અવાનાર સામાન્ય છે, તેને અપરસામાન્ય કહે છે. જયારે એ વિચાર કરવામાં આવે છે કે સમસ્ત વસ્તુ સત્તા સામાન્યની વિશેષતાની અપેક્ષાએ એક જ છે-એટલે કે એવી કોઈ વાત જ નથી કે જેમાં સત્તા જ (અસ્તિત્વજ) ન હોય. આ રીતે સઘળી વસ્તુઓમાં સત્તા વિદ્યમાન છે અને તે સત્તા એક જ છે, જો એ સત્તાની દષ્ટિએ વિચાર કરવામાં આવે તે સઘળી વસ્તુઓ એક સદૃપ જ છે. આ પ્રકારની પસંગ્રહ નયની વિચારધારા (માન્યતા) છે. અપસંગ્રહનયની વિચારધારા અવાન્તર સામાન્યની અપેક્ષાએ ચાલે છે– જેમકે ધર્મ, અધર્મ, આકાશ. કાળ. પુદ્ગલ અને જીવ, આ દ્રમાં દ્રવ્યત્વજાતિની અપેક્ષાએ અભેદ હોવાથી એકતા છે. કારણ કે તેમનામાં તેના દ્વારા જ દ્રમાદ્રવ્ય એવું જ્ઞાન અને દ્રવ્યદ્રવ્ય એવી વચનપ્રવૃત્તિ થાય છે. એ જ વાતને “ધમ ટૂi #પદ્ર, શાણો ટૂટીં, નીવો ઇ” આ પદે દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ રીતે અનુકૃત્તિ પ્રત્યય હોવાથી એવું લાગે છે કે તેમનામાં દ્રવ્યત્વ છે. અને તે દ્રવ્યત્વ ધર્માદિક ૬ દ્રયયક્તિઓમાં (પદાર્થોમાં) એક જ છે. તેથી આ દ્રયની અપેક્ષાએ ધર્માદિક દ્રવ્યમાં એકતાનો સંગ્રહ થઈ જાય છે. એ જ પ્રમાણે સચેતન અને અચેતન દ્રવ્યોની જેટલી પર્યાય છે, તે સઘળી પર્યાયમાં પણ પર્યાયવરૂપ સામાન્યની અપેક્ષાએ એકતાને સંગ્રહ થઈ જાય છે. આ પ્રકારને સંગ્રહનય છે તેની અપેક્ષાએ એક આગમમાં અનુપયુક્ત દેવદત્ત આદિ વ્યકિત પણ એક જ આગમદ્રભાવશ્યક છે, અને અનુપયુકત દેવદત્ત આદિ અનેક યકિતઓ પણ એકજ આગમદ્રવ્યાવશ્યક છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સંગ્રહ નય એક સામાન્ય માત્રને જ ગ્રાહક છે. વિશેને ગ્રાહક નથી. તેથી વિશેષની અપેક્ષાએ જે અનેક આગમદ્રવ્યાવશ્યક છે, તે બધાં જ જે સામાન્ય છે-વિશેષરૂપ અનુયોગ દ્વાર સુત્રમ ૩૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy