SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વામાં આવે છે. દ્રવ્યનિક્ષેપમાં વિરક્ષિત (અમુક) પર્યાયને જે અનુભવિત કરી ચુકી છે એવી વાતુ તથા વિવક્ષિત પર્યાયને જે ભવિયકાળમાં અનુભવ કરશે. એવી વસ્તુ તેના વિષયરૂપે પગિણિત થઈ છે. એજ વાત સામાન્યરૂપે કથિત દ્રવ્યના લક્ષણમાં આ પ્રકારે જાણવા માટે બનાવવામાં આવી છે-તત્ત્વજ્ઞોએ એવું કહ્યું છે કે લોકમાં ભૂતપર્યાયનું અથવા ભવિષ્યની પર્યાયનું જે કારણ છે, તેનું નામ દ્રવ્ય છે. તે દ્રવ્ય સચેતન પણ છે અને અચેતન પણ છે. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજ. જેમકે કોઈ એક જીવ પહેલાં સ્વર્ગમાં ઇન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયો હતે. ત્યારબાદ તે ભવનું આયુષ્ય પૂરું થતાં, ત્યાંથી ચવીને તે મનુષ્યલકમાં મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થઈ ગયે. જેમ અમાત્યના પદથી ચુત થયેલી વ્યક્તિને અમાત્ય કહેવામાં આવે છે. એમ મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થયેલા તે મનુષ્યને તેની ભૂતકાલિન ઈન્દ્રરૂપ પર્યાયને કારણે ઉદ્ર કહેવો, તેનું નામ જ દ્રનિક્ષેપ છે. જેમ ભવિષ્યકાળમાં રાજા બનવાને હોય એવા રાજકુમારને “રાજા” કહેવામાં આવે છે, એજ પ્રમાણે જે જીવ ભવિષ્યમાં ઈદ્રની પર્યાયે ઉત્પન્ન થવાનું હોય તેને ભવિષ્યકાલિન ઈન્દ્ર પર્યાયનું કારણ હોવાને લીધે ઉદ્ર કહેવો તે પણ દ્રવ્યનિક્ષેપને વિષય છે જે કે રાજકુમાર અત્યારે રાજા નથી, પરંતુ ભવિષ્યમાં રાજા થવાનો છે, છતાં પણ તેને રાજકુમારની અવસ્થામાં પણ જે રાજા કહેવામાં આવે છે તે ભાવિ રાજપર્યાયની પ્રાપ્તિરૂપ કારણની અપેક્ષાએ જ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે અચેતન કાઠ આદિમાં પણ ભૂત-ભવિષ્ય પર્યાયની કાપણુતાની અપેક્ષાએ દ્રવ્યતા ઘટિત કરી લેવી જોઈએ. આ પ્રકારે દ્રવ્યરૂપ આવશ્યકનું નામ દ્રવ્યાશ્યક છે તે દ્રવ્યાશ્યક બે પ્રકારને છે-(૧) આગમની અપેક્ષાએ અને ન આગમની અપેક્ષાથી બે પ્રકારના સમજવા. ભાવાર્થ સ્પષ્ટ છે. જે સુ ૧૩ છે હવે સૂત્રકાર આગમની અપેક્ષાએ દ્રવ્યોશ્યકના સ્વરૂપનું નિરૂપણ કરે છે. જે f૪ રઈત્યાદિશબ્દાર્થ (?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે જિં વં પ્રામો દવાવરસગં ?) આગમની અપેક્ષાએ જે દ્રવ્યાવશ્યક કહ્યો છે તેનું કેવું સ્વરૂપ છે? એટલે કે દ્રવ્યાવશ્યકના જે બે ભેદ બતાવવામાં આવે છે, તેમાંથી જે પહેલા ભેદ બતાવ્યું છે તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--(શામળ વાવમાં) આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે.(કક્ષ બાવક્ષત્તિ ૪ વિ) જે સાધુએ આવશ્યકશાસ્ત્રનું ગુરુની સમક્ષ વિનયપૂર્વક અધ્યયન કર્યું છે, (હિ) તેને સારામાં સારી રીતે પાનાને અનુયોગ દ્વાર સુત્રમ ૩૧
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy