SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વળી કોઈ કોઈ માથુ એવું પણ કહે છે કે......“પ્રતિમારૂપ સ્થાપનાને નિહાળવાથી ભાવેને જે ઉ૯લાસ અનુભવવામાં આવે છે-જેવો ઉલાસ ઉત્પન્ન થાય છે, એ ભાવેને ઉલ્લાસ (એ પ્રકારનું મન:પરિણામ)-તે નામ માત્રના શ્રવણથી ઉત્પન થતું નથી. નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ વચ્ચે આ પ્રકારને જ તફાવત છે. જેમકે ઈન્દ્રની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તે લોકો તેની સમક્ષ વિવિધ પ્રકારની યાચના કરે છે, તેની પૂજા કરે છે અને પિતાની ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરી લે છે, પરંતુ નામ ઈન્દ્ર આદિમાં એવું જોવામાં આવતું નથી. આ રીતે તે બન્ને પ્રકારના નિક્ષેપમાં આ પ્રકારને ભેદ પણ રહે છે. એટલું જ નહીં પણ તે બને નિક્ષેપ વચ્ચે રહેલ ભેદ દર્શાવતા બીજા કેટલાક કારણેને પણ સદૂભાવ છે. તે આ પ્રકારનું કથન પણ આગમ વિરૂદ્ધનું કથન હોવાથી ઉસૂત્રકથન જ ગણાય છે. આ પ્રકારની આગમ વિરૂદ્ધની પ્રરૂપણ કરનાર વ્યકિત અનન્ત સંસારની જનક બને છે. આગમમાં આ પ્રકારનું કથન આવે છે કે..... તથારૂપ અહત ભગવંતોના નામ અને ગોત્રનું શ્રવણ કરવાથી મહાલની પ્રાપ્તિ થાય છે,” આ કથન નામનિક્ષેપના વિષયરૂપ નથી. કારણકે “અહંતા માવિંar” ઈત્યાદિ કથન દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે તથારૂપ ભાવરૂપ અહં તમાં પ્રયુકત નામના જ શ્રવણથી મહાફલાની પ્રાપ્તિ થાય છે-કેવળ નામ નામના જ શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થતી નથી. નહીં તો કઈ પણ વ્યકિતને માટે (દાખલા તરીકે ગેવળના પુત્રને માટે) “અહજત આ નામ ઉપગ કરવામાં આવે, તે તેના નામનું શ્રવણ કરવાથી પણ મહાફલની પ્રાપ્તિ થઈ જવી જોઈએ ! પણ અહીં તે એવું બનતું નથી. તે ના મદ્વારા માત્ર તે ગોવાળપુત્ર રૂપ અર્થની જ પ્રતીતિ થાય છે. આત્મપરિણામોની શુદ્ધિ રૂપ મહાદળની પ્રાપ્તિ તેના નામ શ્રવણથી થતી નથી. તેથી એવું માનવું જોઈએ કે ભાવરૂપ અહત નામના જ શ્રવણથી જીવને આત્મપરણામેની શુદ્ધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, કારણ કે એજ તેને હેતુ છે. સાધારણ નામનિક્ષેપમાં આ હેતુતા સંભવી શકતી નથી. વળી કઈ માણસ અહીં એવી દલીલ કરે કે અહત નામનિક્ષેપ ભલે આત્મ પરિણામોની શુદ્ધિમાં કારણભૂત ન થતું હોય, પણ તેનાથવણથી ભગવાન અહંતના નામનું સ્મરણ તે થઈ જાય છે, એટલું તે આપે માનવું જ પડશે તે આ પ્રમાણે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે ભાવનિક્ષેપથી રહિત એવા નામનિક્ષેપથી અહંત ભગવાનનું સ્મરણ થવાની વાત અસંભવિત છે, અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy