SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણપુર્વક વીરરસકા નિરુપણ શિના જ) પરિત્યાગ કરવામાં, તપશ્ચરણ કરવામાં, અને શત્રુઓના વિનાશ કરવામાં (કળબુપિક્વારકમળો શીરો હોદ) અનrશય, ધૃતિ, પરાકમ આ લક્ષાવાળે રસ વીરરસ કહેવાય છે. અનુશય શબ્દને અર્થ ગ–અથવા પશ્ચાત્તાપ છે. આ જેનું લક્ષણ છે, તે અનુશય લિંગ છે. એ જેમાં હેત નથી. તે અનનુશય લિંગ છે. દાન આપીને જે અહંકાર કે પશ્ચાત્તાપ કરતું નથી તે વીરરસ કહેવાય છે. તપશ્ચર્યામાં જે છે રાખે છે–પશ્ચાત્તાપ કરતા નથી તે વીરરસને લીધે જ. શત્રુજનના વિનાશાથે જે પરાક્રમ બતાવે છેલવ્ય-વિકલતા-નબળાપણું બતાવતું નથી તે વીર રસને લીધે જ. આ સર્વે અનrશય, ધૈર્ય અને પરાક્રમના લક્ષણથી એમ જણાય છે કે “આ માણસ વીરરસ યુક્ત છે.” આ પ્રમાણે બીજે પણ સમજવું જોઈએ, હવે સૂત્રકાર આ (વીરો જયો ) વીરરસ જે પ્રકારના દુખા નથી જાણવામાં આવે છે તે પ્રકારના દષ્ટાન્તને આ ગાથા વડે २५८ ४२-(सो नाम महावीरो जो जं पयहिऊण पव्वदओ, कामकोह મહાઇવનિપાથi ળરૂ) “જે રાજયના વૈભવને ત્યજીને દીક્ષા ગ્રહણ કરે છે અને દીક્ષિત થઈને જે કામ-ક્રોધ રૂપ મહાશત્રુનાં પક્ષને વિનષ્ટ કરે છે, તે ચોકકસ મહાવીર હોય છે. વીરરસમાં જેવી પુરૂષ-ચેષ્ટા કહેવામાં આવે છે તેવી પુરૂષચેષ્ટા આ જાતના કાચૅમાં પ્રકટ કરવામાં આવે છે એટલે કે વર્ણવવામાં આવે છે. એથી ત્યાં વીરરસ જાથે જોઈએ આ પ્રસ્તુતશાસ્ત્ર મોક્ષપ્રતિપાદક છે. એટલા માટે આ શાસ્ત્રમાં મહાપુરૂષ વડે વિજેતવ્ય કામ, ક્રોધ વગેરે શત્રુભાવે છે, તેમને જીતવાના જ વીરરસના ઉદાહરણો પ્રસ્તુત માનવામાં આવ્યાં છે. સામાન્ય માણસે વડે સાણ એવા સંસારના કારણ જે દ્રવ્યશત્રુનું દમન કરવું તે અહીં અપ્રસ્તુત છે. એથી જ સૂત્રકારે આ જાતનું ઉદાહરણ અહી આપ્યું નથી આ પ્રમાણે બીજે પણ જાણવું જોઈએ. સૂ૦૧૭માં હવે સૂત્રકાર લક્ષણસહિત શૃંગારરસનું નિરૂપણ કરે છે– “સિંગાપો નામ રો” ઈત્યાદિ– શબ્દાર્થ-(Firm નામ રણો વસંરોમિજાજરંગબળો) શૃંગાર રસ રતિસાગાભિલાષજનક હોય છે. અહીં રતિથી કાર્યમાં કારણના ઉપચારમી લક્ષણપુર્વક શૃંગારરસનો નિરુપણ રતિના કારણુ જે લલના વગેરે પદાર્થો છે તેમનું ગ્રહણ કરવામાં આવ્યું છે, તેમની સાથે સંગમની ઈચ્છાનો ઉદ્દભાવક આ શૃંગાર રસ હોય છે. (જળવિદ્યાવિહોર, હાર, ઢીઢા મળf૪ળો) અલંકારેથી શરીરને સુસજિજતઅલંકૃત-કરવું તેનું નામ “મંડન” છે. પ્રિયની પાસે જતાં જે સ્થાન, આસન, ગમન અને વિલેકનમાં વિકાર તેમજ એચિંતા-ક્રોધ, સ્મિત, ચમકાર, મુખવિક્લવન હોય છે, તે વિભાસ છે અભિમતની પ્રાપ્તિમાં પણ ગર્વ (અહંકાર)થી અનાદર કર, તેમજ અપરાધીનું સ્મક-માળા-ચંદન વગેરેથી સંયમન કરવું, તાડન કરવું વિમ્બક છે હાસ્ય-હસવું સકામ ગમન અને ભાવિત જે રમણીય ચેષ્ટાઓ છે, તે “લીલા' છે. અથવા જે સ્ત્રી પ્રિયસમાગમ મેળવી શકી નહીં તેવી સ્ત્રી પોતાના ચિત્તને પ્રસન્ન કરવા માટે પ્રિયના વેષનું ગતિનું દષ્ટિનું, હાસ્યનું, વાણીનું અનુકરણ કરે છે, તે “લીલા' છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy