SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપે રોકે છે. તેથી “જ્ઞાનાવરણુકમના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.” એવું કહેવામાં આવે છે. મતિજ્ઞાનાવરણ, મૃત જ્ઞાનાવરણ અને વિર્ભાગજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી અનુક્રમે મત્યજ્ઞાન, શ્રતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રકટ થાય છે. અહીં “અજ્ઞાન” પદ દ્વારા જ્ઞાનાભાવ સમજવાનું નથી કારણ કે જ્ઞાનાભાવ રૂ૫ અજ્ઞાન તે ઔદયિક ભાવરૂપ છે, અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી તે ભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ કુત્સિતજ્ઞાનને અજ્ઞાન કહે છે. જયારે મતિજ્ઞાન આદિ મિથ્યાદર્શનના ઉદયથી દૂષિત હોય છે, ત્યારે તેમને કુત્સિત જ્ઞાનરૂપ ગણવામાં આવે છે, “વિલંગ પદમાં જે “ભંગ” પદ છે તે અહીં અવધિવાચક છે. આમ તો તે એક પ્રકારભેદનું વાચક ગણાય છે. અને “જિ” પદ વિરૂકુત્સિત અર્થનું વાચક છે. વિર્ભાગજ્ઞાનની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે-“વિતા: મંnઃ વિમા યિમંn gવ જ્ઞાનં વિમંmજ્ઞાન” આ વિલંગમાં જે જ્ઞાનપણું છે તે અર્થપરિજ્ઞાનાત્મકતાની અપેક્ષાએ છે. મિથ્યાદષ્ટિ દેવદિકના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે. ચક્ષુર્દશનાવરણુ, અચલુદંશનાવરણ અને અવવિદર્શનાવરણ કર્મના પશમથી અનુક્રમે ચહ્યુશન અચક્ષુદર્શન અને અવધિદર્શન પ્રકટ થાય છે. તેથી તેમને પણ સાથે પશુમિક કહેવામાં આવેલ છે. મિથ્યાત્વકર્મના ક્ષપશમથી ક્ષપશમિક સભ્ય દશનની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બીજી બધી સૂક્ત લબ્ધિઓમાં પણુ યથાસંભવ ક્ષાપશમિકતા સમજી લેવી. વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી વીર્ય લબ્ધિ પ્રકટ થાય છે. એ જ પ્રમાણે પંડિતવીય લબ્ધિ, બાલ વીર્યલબ્ધિ અને બાલપંડિતવીર્ય લબ્ધિને પણ ક્ષાયોપથમિક જ સમજવી જોઈએ. પંડિતપદ અહીં સાધુજનનું, બાલપદ અવિરતયુક્તજનનું અને બાલપંડિત પદ દેશવિરત જનનું વાચક છે. તેમને પોતપોતાના વર્યાન્તરાય કર્મને પશમ થવાથી પંડિતવીર્ય લબ્ધિ આદિની પ્રાપ્તિ થાય છે. સમ્યગૃમિથ્યાદર્શન લબ્ધિ સમ્યકત્વના એક ભેદ રૂપ છે. તેથી મિથ્યા. ત્વ કર્મના ક્ષપશમથી તે લબ્ધિની પ્રાપ્તિ થાય છે, સામાયિક ચારિત્ર લબ્ધિ, છેદપસ્થાપનલબ્ધિ, પરિહાર વિશુદ્ધિક લબ્ધિ, સૂથમ સપરાય લબ્ધિ અને ચારિત્રાચારિત્ર લબ્ધિ, આ બધી લબ્ધિઓની પ્રાપ્તિ ચારિત્રમેહનીય કમના ક્ષયોપશમને લીધે થાય છે, તેથી તેમનામાં ક્ષાપશમિકતા સમજવી જોઈએ. કર્મોનું નિવારણ કરવા માટે સંયત જે અન્તરંગ અને બહિરંગ પ્રવૃત્તિ કરે છે તેનું નામ ચારિત્ર છે. એટલે કે આત્મિક શુદ્ધ દશામાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરે તેનું જ નામ ચારિત્ર છે. પરિણામ શુદ્ધિના અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૯
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy