SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે છે-ક્ષયથી ઉત્પન્ન થયેલી અવસ્થાના પરિણામને ક્ષયિક ભાવ ગણાય છે. તે આત્માની નિજ સ્વાભાવિક અવસ્થા છે. તેમાં જે જે પરિણામો છે, તે બધાં પરિણામ શુદ્ધ આત્મસ્વરૂપ છે. તે પરિણામોને વિચાર કરીને જે નામો બતાવવામાં આવ્યાં છે તેઓ નામ, સ્થાપના કે દ્રવ્યરૂપ નથી, પરંતુ ભાવરૂપ છે. કર્મોને ક્ષય થઈ જવાથી આત્માનું જે મૌલિક મૂલ રૂપ પ્રકટ થઈ જાય છે, એજ મૌલિક રૂપના તેઓ વાચક છે. તેથી તે નામનું પાયિક ભાવના પ્રકરણમાં વિવેચન કરવું તે અનુચિત અથવા અપ્રાસંગિક નથી, પરંતુ ઉચિત અને પ્રાસંગિક જ છે. જેમ કે કેવળજ્ઞાનાવરણ કર્મને સંપૂર્ણ ક્ષય થઈ જતાં જ આત્મામાં કેવળજ્ઞાનગુણ પ્રકટ થઈ જાય છે. કેવળજ્ઞાનાવરણને નાશ થતાં જ ક્ષાપશમિક ચાર જ્ઞાન ક્ષાયિક રૂપ થઈ જાય છે, એટલે કે આ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. ત્યારે તે આત્માનું “ક્ષીણકેવળજ્ઞાનાવર” આ નામ નિપન્ન થઈ જાય છે. તે નામ. સ્થાપના અથવા દ્રવ્યરૂપ હોતું નથી, પરંતુ ભાવનિક્ષેપ રૂપ જ હોય છે, કારણ કે તે પ્રકારની પર્યાય તે આત્મામાં નિષ્પન્ન થઈ ચુકી હોય છે, અને આ નામ તેનું જ વાચક છે. એ જ પ્રમાણે બાકીનાં કર્મોનો ક્ષયથી નિષ્પન થયેલાં નામોના વિષયમાં પણ સમજવું. તેથી જ ક્ષાયિક ભાવના પ્રકરણમાં સૂત્રકારે તેમને નિર્દેશ કર્યો છે. સૂ૦ ૧૫૪ ક્ષાયોપથમિક ભાવકા નિરુપણ હવે સૂત્રકાર ક્ષાયોપથમિક ભાવનું નિરૂપણ કરે છે– રે તું વગોવનિg” ઈત્યાદિ– શબ્દાર્થ– fk a ?) ભગવન પૂર્વપ્રકાન્ત ક્ષા૫શમિકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(ગોવામિર સુવિષે વાજે, તંગદા) સાપશમિક ભાવના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-(વગોવરને ૨ ગોવરમનિને ૨) (૧) ક્ષપશમ રૂપ ક્ષાપશમિક અને (૨) ક્ષયે પશમ નિષ્પન્ન ક્ષાયોપશમિક. પ્રશ્ન-૨ જિં તું હોવમે?) હે ભગવન્! તે ક્ષાપશમનું સ્વરૂપ ઉત્તર-(વગોવણમે vહું ઘરમાં હોયai) કેવળજ્ઞાનના પ્રતિબક-કેવળજ્ઞાનને પ્રકટ થતું રોકનાર-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, આ ચાર ઘાતિયા કર્મોને જે ક્ષયે પશમ રૂપ ભાવ છે, તેને ક્ષપશમ કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-વિવક્ષિત જ્ઞાનાદિક ગુણને ઘાત કરનારા ઉદય પ્રાપ્ત કમને ક્ષય (સર્વથા અપગમ) અને અનુદી એજ કર્મને ઉપશમ (વિપાકની અપેક્ષાએ ઉદયાભાવ), આ પ્રકારને ક્ષયથી ઉપલક્ષિત જે ઉપશમ છે, તેનું નામ જ પશમ છે. શંકા–ઔપશમિક ભાવમાં ઉદયપ્રાપ્ત કર્મને સર્વથા ક્ષય થાય છે અને અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy