SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ નામ નિષ્પન્ન થાય છે. એ જીવ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુકત થઈ જવાને કારણે “બુદ્ધ” ગણાય છે. એ જીવ બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહરૂપ બન્ધનમાંથી મુકત થઈ જાય છે તેથી તેને “મુકત” કહેવામાં આવે છે. એ જીવ સર્વ પ્રકારના પરિતાપોથી નિવૃત થઈને શીતલીભૂત થઈ જાય છે, તેથી તેનું “પરિનિવૃત” નામ નિષ્પન્ન થાય છે. સકળ સમીહિતેમાં સત્કટ સમીહિત તે માત્ર મેક્ષ જ ગણાય છે, તે મોક્ષની પ્રાપ્તિ થઈ જવાના કારણે તે આત્મામાં પરિનિવૃતતા સમજવી એ જીવ સમસ્ત સંસારને અન્તકારી બને છે તેથી તેને “અન્નકૃત ” કહે છે. એવા જીવના શારીરિક અને માનસિક સમસ્ત દુઃખોને આત્યંતિક (સંપૂણત) ક્ષય થઈ જવાને કારણે તેને સર્વદુઃખ પ્રહણ કહે છે. આ પ્રકારે આઠે કર્મોને સર્વથા ક્ષય કરી નાખનાર જીવના નીચે પ્રમાણે નામ નિષ્પન્ન થાય છે-(૧) સિદ્ધ (૨) બુદ્ધ, (૩) મુક્ત, (૪) પરિનિર્વત, (૫) અન્નકૃત અને (૬) સર્વદુઃખહી. હવે આ સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે– છે તે નિકળે) આ પ્રકારનું ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવનું સ્વરૂપ છે. ( તં કag) ક્ષયનિષ્પન થાયિક ભાવનું નિરૂપણ સમાપ્ત થવાથી ક્ષાયિક ભાવના સ્વરૂપનું નિરૂપણ પણ અહીં પૂરું થાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા ક્ષાયિક ભાવનું નિરૂપણ કર્યું છે. તેમાં તેમણે ક્ષાયિક ભાવના બે પ્રકાર બતાવ્યા છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને જે ક્ષય છે તેને ક્ષાયિક રૂપ પહેલે પ્રકાર ગણવામાં આવે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયથી નિષ્પન્ન થતાં ક્ષાયિક ભાવને ક્ષયનિષ્પન્ન રૂપ બીજા પ્રકારને ક્ષાયિક ભાવ કહ્યો છે. કર્મોનો ક્ષયથી નિષ્પન થતે ક્ષાયિક ભાવ અનેક પ્રકારને કહ્યો છે. પાંચ પ્રકારના જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી, નવ પ્રકારના દર્શનાવરણ કર્મના ક્ષયથી, બે પ્રકારના વેદનીય કર્મના ક્ષયથી, ૨૮ પ્રકારના મહનીય કર્મના ક્ષયથી, ચાર પ્રકારના અયુકર્મના ક્ષયથી, ૪૨ પ્રકારના નામકર્મના ક્ષયથી, બે પ્રકારના ગેત્રમના ક્ષયથી, અને પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષયથી સૂક્ત જેટલાં નામ નિષ્પન્ન થાય છે, તેમને ક્ષયનિષ્પત ક્ષાવિક ભાવ રૂપે ગણવા જોઈએ, કારણ કે તે નામે ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોના ક્ષથી નિષ્પન થાય છે. આ સત્રમાં ક્ષયનિષ્પન ક્ષાયિક ભાવમાં ક્ષયનિષ્પન ક્ષાયિક નામોનું જે કથન કરવામાં આવ્યું છે, તે અપ્રાસંગિક નથી. તેનું કારણ નીચે અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૪
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy