SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સમયક્ષેત્ર માત્રને જ તે વિષય કરનારૂં-જાણનારૂં છે. કાળની અપેક્ષાએ અતીત (ભૂત) અને અનાગત (ભવિષ) કાળને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ તેને નિય છે. ભાવની અપેક્ષાએ તેને વિષય મનોદ્રવ્ય સંબંધી અનંત પર્યાય છે. (૫) કેવળજ્ઞાન–આ જ્ઞાન એવું છે કે જેમાં ઇન્દ્રિયો અને મનની સહાયતાની અપેક્ષા રહેતી નથી, જ્ઞાનાવરણીય કર્મના આત્યંતિક (સંપૂર્ણત) ક્ષયથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેને વિષય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણે કાળ સંબંધી સમસ્ત દ્રવ્ય અને તેમની સમરત (અનંત) પર્યાય છે. અન્ય જ્ઞાનની જેમ તે પ્રતિપ્રાતિ (એક વખત પ્રાપ્ત થયા બાદ જેને વિનાશ થાય એવું) નથી. કેવળજ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની મેં લખેલી ટીકામાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકે એ ત્યાંથી તે વાંચી લેવું. આ પ્રકારે સુત્રકારે શાસ્ત્રને પ્રારંભે જ પાંચ પ્રકારના જ્ઞાનેનું જે નિરૂપણ કર્યું છે તેનું કારણ એ છે કે જ્ઞાન પિતે જ મંગલરૂપ છે. સકલ કલેશેના ઉછેદનમાં જ્ઞાન જ કારણુભૂત બને છે. આ રીતે જ્ઞાનમાં પરમ મંગળતાને સદૂભાવ હેવાથી સરકારે શરૂઆતમાં જ તેની પ્રરૂપણ કરી છે. સૂત્ર ૧ શ્રુતજ્ઞાનસ્વરૂપનિરુપણ હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે પાંચ પ્રકારના જે જ્ઞાન છે તેમાંથી શ્રતજ્ઞાનનો જ ઉદ્દેશ, સમુદેશ આદિને અવસરે અધિકાર છે- અન્ય ચાર જ્ઞાન નથી. “તાર્થ વારિ” ઈત્યાદિ શબ્દાર્થ—(ત) પૂર્વોક્ત પાંચ પ્રકારનાં જ્ઞાનમાંથી (ાર નાળા) ચાર પ્રકારનાં જ્ઞાન એટલે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન (M) ઉર્દ, સમુદેશ આદિના અવસરે વ્યવહારોગ્ય નથી. કારણ કે ચારે જ્ઞાનમાં ગુરુના ઉપદેશની અપેક્ષા રહેતી નથી, તેથી (ખિન્નાઈ) તે ચારે જ્ઞાન સ્થાપનીય છે. એટલે કે તેમના ઉદ્દેશ આદિ કરવામાં આવેલ નથી આ વિષયને અનુલક્ષીને એવું સમજવું જોઈએ કે શ્રતજ્ઞાન જ વાચના આદિ દ્વારા પોતાના વિષયભૂત પદાર્થોમાં સાક્ષાત પ્રવર્તક અને નિવર્નાક હોય છે. જો કે અન્ય જ્ઞાન પણ પદાર્થોના સ્વરૂપનો બોધ કરાવે છે ખરાં, પરંતુ તેઓ શ્રુતજ્ઞાનને આધાર લીધા વિના પિતાના વિષયભૂત હેયોપાદેય વિષયથી સાક્ષાત રૂપે નિવક પણ હતાં નથી. અને તેમાં પ્રવર્તાક પણ હું તાં નથી. તેથી તે જ્ઞાનનો અહીં દેશ સમુદેશ આદિમાં વિચાર કરવામાં આવ્યો નથી. એજ વિષયનું વિશદરૂપે વિવેચન કરવા નિમિત્તે સૂત્રકાર કહે છે કે ( દિવંતિ જ સમૃદિકવિ) તે ચાર જ્ઞાન ગુરુજને દ્વારા શિષ્યોને ઉપઢિષ્ટ થતાં નથી, અને ગુરુજન તેમને એવું પણ કહેતા નથી કે તમે તેમને સ્થિર રૂપે પરિચય કરે, ( UMવિનંતિ) તેમને સારી રીતે નિશ્ચય કરીને હૃદયમાં ધારણ કરી તથા અન્યને પણ તેનું અધ્યયન કરો. અથવા-આભિનિધિ, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન સ્થાય છે, તે ચાર જ્ઞાન ગુરૂજનોને અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy