SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગથી લઈને આખા લેાક પર્યન્તનું છે, અને કતિપય પર્યાય સહિતના રૂપી દ્રવ્યને વિષય કરનારૂં જ્ઞાન છે. આ રીતે તે જ્ઞાન વિસ્તૃત વિષયવાળુ છે. તેમાં જે વસ્તૃત વિષયતા પ્રકટ કરવામાં આવી છે તે મન:પર્યય જ્ઞાનની અપેક્ષાએ સમજવી, કારણ કે મન:પર્યંય જ્ઞાનનું ક્ષેત્ર માત્ર માનુષોત્તર પતા પન્ત જ છે અને અવધિજ્ઞાન દ્વારા જેટલારૂપી દ્રવ્યને જોઇ શકાય છે તેના કરતાં મનઃપય જ્ઞાનદ્વારા અનંતમાં ભાગના રૂપી દ્રવ્યને જોઇ શકાય છે. અથવા—અવધિ એટલે મર્યાદા. આ અÖમાં અવધિ અને જ્ઞાન, આ બે પદોને તૃતીયા તત્પુરુષ સમાસ બન્યા છે. આ દૃષ્ટીએ વચારવામાં આવે તે અવધીજ્ઞાનને અર્થ આ પ્રમાણે દશે-જે માન મર્યાદિત પદાર્થાને જાણે છે, તે જ્ઞાનનું નામ અવિધજ્ઞાન છે. તે જ્ઞાન, રૂપી પદાર્થોને જ જાણે છે-અરૂપી પદર્શને જાણતું નથી, આ પ્રકારની રૂપી પદાર્થોને જ જાણવારૂપ આ મર્યાદા સમજવી. તેથી આ પ્રકારની વ્યવસ્થારૂપ મર્યાદાથી યુકત હાવાને લીધે આ જ્ઞાનનું નામ અવિધજ્ઞાન પડયું છે. અથવાજે જ્ઞાન નીચેની બાજુએ અધિક વિષયને દેખી શકે છે તે જ્ઞાનને અધિજ્ઞાન કહે છે. ઇન્દ્રિયા અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોને જોઇ શકનારૂ આ અવધિજ્ઞાન, અવધિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી ચારે ગતિના જીવામાં ઉત્પન્ન થતું હાય છે.. “ શકા--શાસ્ત્રકારોએ તે એવુ' કહ્યું છે કે મનુષ્ય અને તિય ચગતિના ને જે અવધિજ્ઞાન થાય છે તે ક્ષયાપશમ નિમિત્તક હોય છે. છતાં આપ શાહ્મણે એવું કહેા છે કે ચારે ગતિના જીવાને અવધિજ્ઞાાવરણીય કર્મના ક્ષયાપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે ? સમાધાન-અવધિજ્ઞાનની ઉત્પત્તિ તેા નિયમથી જ અવધિજ્ઞાનાવરણુ કર્મોના ક્ષયાપશમથી જ થાય છે, પરન્તુ આ ક્ષયેાપશમમાં જ્યાં વ્રત, નિયમ આદિ અનુષ્ઠાનાની આવશ્યકતા રહે છે, ત્યાં તે અવધિજ્ઞાનને ક્ષયાપથમનિમિત્તક કહેવામાં આવે છે. એવા. ક્ષયેાપશિિમત્તક અવધિજ્ઞાનના સદ્ભાવ મનુષ્ય અને તિય ચામાં જ હાથ જે અવધિજ્ઞાનમાં તેની આવશ્યકતા ન હોય પણ ભવ જ (જન્મ લેવા એજ) કારણ રૂપ હાય, ત્યાં આ ગુણેાની અપેક્ષા વિના જ અવધિજ્ઞાનાવરણ કર્યંના ક્ષયે પશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એવા અવિધજ્ઞાનના સદ્દભાવ દેવા અને નારકોમાં હાય છે. આ રીતે આ બન્ને પ્રકારના અવધિજ્ઞાનમાં અન્તરંગ કારણ તેા સમાન જ છે. અવધિજ્ઞાનાવરણીય કના ક્ષયાપશમ જ તે બન્નેમાં અ રંગ કારણ છે. તે કારણે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમથી ચારે ગતિના જીવામાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે.' આ પ્રશ્નારના કથનમાં કૈાઇ દોષ સંભવતા નથી. (૪) મન:પર્યવજ્ઞાન-+q=પવ. આ રીતે ‘યુ' ધાતુને ‘f' ઉપસ લાગવાથી ‘પવ' પદ બન્યું છે. ૐ' ધાતુ રક્ષણ, ગતિ, કાન્તિ, પ્ર.તિ, તૃપ્તિ, અવગમ આદિ અર્ધામાં વપરાય છે. અહીં તેના અવગમ અ ગૃહીત થયા છે. અવગમ રોટલે એ ધ. અને 'પરિ' એટલે ‘વ પ્રકારે' “મનના સઘળા પર્યાયાને સાક્ષ!ત્ જાણનારૂં જે જ્ઞાન છે, તેનું નામ મનઃ પવજ્ઞાન છે.” પય અને પર્યાય આ બન્ને શબ્દો સમાનાર્થી છે. આ કથનના ભાવા નીચે પ્રમાણે ઇં-મનવાળા જીવા (સંજ્ઞી જીવા) કાઇ પણ વરતુનું મનની મદદથી ચિન્તવન કરે છે. આ પ્રકારના ચિન્તનકમમાં પ્રવૃત્ત થયેલું મન ભિન્નભિન્ન આકારોને ધારણ કરતું રહે છે. તે આકૃતિએ જ મનના પર્યાય છે. મનન એ પર્યાયાને સાક્ષાત જાણનારૂ જે જ્ઞાન છે તે જ્ઞાનનું નામ જ મન:પર્યવજ્ઞાન છે, અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy