SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ girફાર કુરિયા બળતા/ઝાયા સેવીર અજમામા ફુવૂળ) જેમાં પૂર્વાનુપૂર્વી અને પયાનુપૂર્વી, એ બને નથી, તેનું નામ અનાનુપૂર્વી છે, એ વાત પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે તેમાં વિવક્ષિત પદેના (પરમાણુ પુદ્ગલ આદિના) ઉપર્યુકત બને ક્રમને પરિત્યાગ કરીને પરસ્પર સંભવિત ભંગો વડે તે પદેની વિરચના કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં એક પ્રદેશી પરમાણુ યુગલની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાર બાદ દ્વિદેશી કંધ આદિની સ્થાપના કરાય છે. આ રીતે એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં ત્યારે અનંત પ્રદેશી કંધ સુધીની સ્થાપના થઈ જાય છે, ત્યારે તે બધાની એક શ્રેણી બની જાય છે. આ શ્રેણી–પંકિતમાં ઉત્તરોત્તર એકની વૃદ્ધિવાળા અંધ અનેક થઈ જાય છે. ત્યાર બાદ પરસ્પરને ગુણાકાર કરવામાં આવે છે. આ આ રીતે જે મહારાશિ રૂપ સંખ્યા આવે છે તેમાંથી પહેલો અને છેલ્લે, એ એ ભંગ કમી કરવાથી અનાનુપૂર્વી બની જાય છે. પ્રશ્ન-જે રીતે એક પુદગલાસ્તિકાયને ઉદાહરણ રૂપે લઈને તેની પૂર્વ નુપૂર્વી આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યને ઉદાહરણરૂપે કેમ લેવામાં આવ્યાં નથી ? ઉત્તર-અહીં પૂર્વાનુપૂર્વ આદિને વિચાર કરતાં પરમાણુ આદિ દ્રવ્યોને પરિપાટી રૂપ ક્રમ (અનુક્રમ) પ્રસ્તુત કથનમાં પ્રતિપાદિત થઈ રહ્યો છે. તેથી આ કથન દ્રવ્યની બહુતામાં જ સંભવી શકે છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પુદ્ગલાસ્તિકાયની જેમ આ દ્રવ્યબાહુલ્યને સદુર્ભાવ નથી. કાણુ કે તેમને તે એક એક દ્રવ્યરૂપ માનવામાં આવેલ છે. જે કે છવા. સ્તિકામાં અનંત છવદ્રની સત્તા (અસ્તિત્વ) હોવાને કારણે દ્રવ્યબાહુલ્ય છે, પરંતુ પરમાણુઓમાં અને દ્વિદેશી 'ધ આદિકે માં જે પૂર્વાપવી આદિના કારણભૂત પૂર્વપશ્ચાત્ ભાવ વિદ્યમાન છે, એ જીવ દ્રવ્યોમાં નથી, કચ્છ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશવાળા છે તેથી સમસ્ત જીવોમાં તુલ્ય (સમાન) પ્રદેશતા છે. પરમાણુ અને દ્વિદેશિક આદિ દ્રવ્યમાં તે વિષમ પ્રાદેશિકતા છે, તેથી ત્યાં પૂર્વપશ્ચાદ્ભાવ છે, તથા જે અદ્ધા સમય સંભવિત નથી તેથી પુદ્ગલાસ્તિકાયનું જ પૂર્વાનુપૂર્વી આદિ રૂપે ઉદાહરણ આપવામાં આવ્યું છે, અન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું તે પ્રકારે ઉદાહરણ આપવામાં આવ્યું નથી. (સે તેં અનાજુપુત્રી) આ પ્રકારનું અનાનુપૂર્વનું સ્વરૂપ છે. (સે રં ગોવનિફિચા વાળુપુત્રી) અહીં સુધીમાં પૂર્વ પ્રસ્તુત ઔપનિશ્ચિકી દ્રવ્યાનુપૂવીનું કથન કરવામાં આવ્યું છે. (તે 7 નાળચારીમવિચારવરિત્તા વાળુપુત્રી) આ રીતે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વાનું કથન પુરૂં થતાં જ, જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનુર્થીનું વર્ણન પણ અહી સમાપ્ત થાય છે. (સે તે રોગામરો વાળુપુત્રી-લે તં વાળુપુત્રી) આ કથનની સમાપ્તિ થઈ જવાથી આગમને આધારે જે દ્રવ્યાનુપૂવ બને છે તેના સ્વરૂપના નિરૂપણની પણ સમાપ્તિ થઈ જાય છે. આ પ્રકારનું આ દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy