SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-“અનુગ” શબ્દને શું અર્થ થાય છે? ઉત્તર-ભગવાને અર્થરૂપ જે પ્રવચનની પ્રરૂપણ કરી છે, તેને અનુકૂળ અથવા તેની અનુસાર વકતા દ્વારા પ્રવચનનું જે કથન કરાય છે તેનું નામ અનુગ છે. અહીં કથન કરવારૂપ વ્યાપારને વેગ કહેવામાં આવેલ છે. ભગવદ્ભાપિત અર્થને ગણધરેએ સૂત્રરૂપે ગ્રથિત કર્યો છે. પરંતુ તે ગ્રંશનકાર્યમાં તેમણે પિતાની કલ્પનાથી કઈ પણ વસ્તુને ઉમેરે કર્યો નથી ભગવાનનું જે પ્રકારનું કથન હતું તેને અનુરૂપે કથન જ તેમણે કર્યું છે. ભગવાનના કથનમાં સહેજ પણ વધારો કે ઘટાડે કર્યા વિના, તથા વિપરીતતા અને ભાવલક્ષણ્યને પરિહાર કરીને તેમણે તે કથન અનુસારનું જ સ્થન સૂત્રરૂપે ગ્રંથિત કરેલું છે. તે કારણે ગણધર દ્વારા કથિત સૂત્રમાં ન્યૂનતા, અધિકતા આદિને અલ્પ માત્રામાં પણ સદભાવ નથી. આ પ્રકારે ભગવદુકત (અહં તે દ્વારા વ્યથિત) અર્થને અનુરૂપ પ્રતિપાદન રૂપ જે વ્યાપાર છે તેનું નામ જ અનુગ છે. આ પ્રકારને અનુગ પદને અર્થ ફલિત થાય છે. આ અનુગ નીચે પ્રમાણે ચાર પ્રકારના છે-(૧) ચરણકરણાનુગ, (૨) ધર્મકથાનુયોગ, (૩) ગણિતાગ અને (૪) દ્રવ્યાનુયેગ. જે પ્રકારે ગણધર સુધર્માસ્વામીએ પિતાના શિષ્ય જંબૂસ્વામીની સમક્ષ ભગવકત અર્થને અનુરૂપ કથન કરવા રૂપ અનુયેગનું ઉપક્રમ આદિ ચાર દ્વારેને આશ્રય લઈને કથન કર્યું છે; એજ પ્રમાણે અન્ય આચાર્યોએ પણ શિવેના હિતને માટે સૂત્રાર્થનું કથન કરવા રૂપ અનુયાગ કરવો જોઈએ. જો કે આચાર્યોએ શિવેને માટે સમત આગમનો અનુગ કરવો જોઈએ, પરંતુ આ સૂત્રમાં આવશ્યક અનુગ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, કારણ કે આવશ્યક અનુયાગ કરવાને સમર્થ હોય એવા આચાર્ય અથવા મુનિજન સમસ્ત આગને અનુયાગ કરવામાં સમર્થ બની જાય છે. તેથી અનુયેગની વિધિને જાણવાની ઈચ્છાવાળા મુનિઓએ આ અનુ ગદ્વાર સુત્રનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. આ શબ્દને અન્તર્ભાવ (સમાવેશ) દ્રવ્યાનુયેગમાં થયું છે. અનુગ શબ્દનો અર્થ વ્યાખ્યાત સમજ. આ વ્યાખ્યાનરૂપ અનુયેના દ્વારનું પ્રતિપાદન કરનાર જે સૂત્ર-આગમ-છે. તેનું નામ અનુગદ્વાર સૂત્ર છે. અનુગના જે ચાર દ્વાર છે, તે નીચે પ્રમાણે છે. (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય. ભાગ્યેય વસ્તુના નામનું કથન કરવું એટલે કે વ્યાચિખ્યાસિત વ્યાખ્યાથી યુકત કરવાની ઇચ્છાના વિષયરૂપ બનેલ શાસ્ત્રને તે તે રૂપે પ્રતિપાદન કરવાની શૈલી વડે ન્યા દેશમાં લાવવું. તેને નિક્ષેપની યોગ્યતાવાળું બનાવવું તેનું નામ ઉપક્રમ છે. ઉપક્રાન્ત ઉપક્રમના અન્તર્ગત ભેદની અપેક્ષાએ વિચારાયેલી વસ્તુને જ નિક્ષેપ થાય છે-અનુપક્રાન્તને થતું નથી. જે ઉપકમિત અને વ્યાચિખ્યાસિત છે એવા છ પ્રકારના આવશ્યક આદિ શાસ્ત્રનું નામ સ્થાપના આદિ ભેદેથી નિરૂપણ કરવું. તેનું નામ નિક્ષેપ છે નામાદિના ભેદથી નિરુપિત શાસ્ત્રનું અનુકૂળ જ્ઞાન હોવું અને તેના અર્થનું અનુકૂળ કથન કરવું અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy