________________
૪૩
છે તેજને આ પુંજ એ પૂર્વ તે નિર્ણય કર્યો, આકાર જોઈ દેહધારી છે જ એવું મન ધર્યો, આ પુરુષ છે એવી બધાની ધારણા ક્રમથી રહી, 'અહ ! શાન્ત કણાસિબ્ધ છે એ વીરજિન જાણ્યું સહી.
( ૩૫ ) .
હે પ્રભુ ! ઉપર પ્રમાણે વિચાર કરવા છતાં બુદ્ધિમાન ભવ્ય જનોએ આપના સ્વરૂપ વિષે પહેલાં તે તેજને પુજ છે એમ નિર્ણય કર્યો. આકાર જોઈ દેહધારી પુરુષ છે એમ અનુમાન કર્યું, વિશેષ નજીક જતાં જાણ્યું કે આ શાન્તરવભાવવાળી કેક મહાનું વ્યક્તિ છે. વળી વધુ નજીક જતાં નિર્ણય કર્યો કે આ તો બીજું કોઈ નહિ પણ કરુણાના સાગર વીર જીનેશ્વર ભગવાન છે.
૧ અહ–અહો.