________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (26) ગિરિરાજને બચાવવા આટલું કરીએ વર્તમાનમાં શેત્રુંજય તીર્થ પર અર્જનો દ્વારા હુમલા વધતા જાય છે. થોડા પણ ચેત્યા નહિ તો ગિરિરાજ ની હાલત ગિરનાર જેવી થઈ તેથી ગિરિરાજ ને બચાવવા અમુક નિર્ણયો લેવા આવશ્યક છે. * ગિરિરાજ સેવા માટે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા સંચાલિત થતા આયોજનમાં ખાસ દરેક જૈનોએ ભાગ લેવો...વર્ષમાં 3 દિવસ ગિરિરાજના નામે. ગામે ગામ આ પ્રેરણા કરવી અને કરાવવી...પર્યુષણમાં નામો નોંધવા, જરૂરત કરતા પાંચ ગણા નામો નોધવામાં આવે તે જરૂરી છે. * દરેક યાત્રિકોએ નવટૂંકની પણ યાત્રા અવશ્ય કરવી. * તળેટી પાસે થી દહીં,શેરડીનો રસ ભેળ આદિ ન લેવા...દહીં પણ લેવું નહિ.ભીખ પણ આપવી નહીં, ભાતું ભાતાખાતા માં મળે છે તે લઇ લેવું. * પૂજારીઓને રૂ પણ બક્ષિશન આપવી * ડોલીમાં યાત્રા સંપૂર્ણપણે બંધ કરવી. મજુરો પણ રાખવા નહીં. (રાજા કુમારપાળે પણ વૃદ્ધવયે તળેટીયાત્રા કરેલી) * તળેટી થી દાદાના દરબાર સુધી જ્યાં જ્યાં પણ પગલાની દેરીઓ દેખાય તે દરેક સ્થાને પ્રતિમાજી પણ પધરાવવી જોઈએ, જેથી આવતી કાલે ગીરનાર-દત્તાત્રય જેવી હાલત ન થાય. * ધર્મશાળા સિવાય બહારનું ખાવા પર પ્રતિબંધ મુકવો. રીક્ષા આદિ પણ ધર્મશાળા લેવલે વસાવી લેવી. * ગિરિરાજ થી એક પણ પ્રતિમાજી અન્યત્ર ન લઈ જવા(આ માટે આ જ પુસ્તક માં જીર્ણોદ્ધાર અંગે નો લેખ જોવો), પાલિતાણામાં અજૈનો વિરુદ્ધ એક પણ વાક્ય બોલવું નહિ. ગાંધીજીની જેમ અસહકાર આંદોલન ચલાવવું. દરેક વસ્તુમાં અજૈનોને આપણે કોઈપણ જાહેરાત કે હોહા વગર સંપૂર્ણ અસહકાર આપવો. પેઢીમાં પણ બને તેટલા જૈનોને જ લેવા માટે પ્રેરણા આપવી. જૈનોને પણ ત્યાં નોકરી કરવા પ્રેરણા આપવી. ગિરિરાજની જગ્યા જગ્યાથી ફોટોગ્રાફી અને શુટિંગ કરાવવું,તેની ઘણી બધી