________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (21) ટ્રસ્ટીઓ અંગે વર્તમાનમાં સાધુ-સાધ્વીજી ના માં-બાપ અને 25 માં તીર્થકર સંઘ નામે કેટલાક ટ્રસ્ટીઓ આપખુદશાહી ચલાવી રહ્યા છે. દુઃખ તો ત્યારે થાય જયારે શ્રમણપ્રધાન શ્રી સંઘમાં આચાર્યોને પણ ટ્રસ્ટીઓની આજ્ઞામાં રહેવું પડે. શાસન પ્રભાવક આ.ભ. શીલચંદ્રસુ.મ.સા. નો આ અંગે લેખ મહિનાઓ પૂર્વે હૃદય પરિવર્તનમાં આવેલો.. મારી દષ્ટિએ ટ્રસ્ટીઓ બનાવવાની અને ટ્રસ્ટીઓ બદલવાની સત્તા જૈનાચાર્યો પાસે હોવી જોઈએ. ટ્રસ્ટી બનવા માટે પણ ચોક્કસ નિયમો બનાવવા જેવા છે. માત્ર પૈસાના જોર થી ટ્રસ્ટીપદન અપાય. (A) આવા અમુક નિયમો 1 દરરોજ ત્રિકાલ પૂજા ત્રિકાલ ગુરુવંદન 2 ઉમર 50 વર્ષ થી ઓછી હોય (વધારે ઉંમર વાળાને સલાહકાર ટ્રસ્ટી બનાવવા) 3 કોઈપણ ગુરુ ભગવંત ની આજ્ઞામાં હોય 4 કંદમૂળ-રાત્રીભોજનનો ત્યાગ હોય 5 પંચ પ્રતિક્રમણાદિ આવશ્યક જ્ઞાન ધરાવતો હોય 6 દરરોજ પ્રવચન-ઉપાશ્રયમાં આવતા હોય 7 દારૂ-જુગાર-ગુટકા આદિ વ્યસનથી મુક્ત હોય આવા અમુક નિયમો ફરજીયાત હોવા જોઈએ. જે ટ્રસ્ટી બને આટલું તો કરવાનું જ. આના સિવાયનાને ટ્રસ્ટી ન જ બનાવાય...જેમનામાં સંસ્કાર ન હોય, ગુરુ ભગવંતની સામે બેફામ બોલતા હોય, ગુરુભગવંતોની ટકા-નિંદા કરતા હોત, આવા લોકોને ટ્રસ્ટી ન જ બનાવવા. ટ્રસ્ટી એ શ્રાવક સમુદાયના પ્રતિનિધિ છે, મંત્રી છે. માટે આવું પદ યોગ્ય વ્યક્તિ ને જ આપવું આજકાલ ટ્રસ્ટી બનેલા વ્યક્તિઓ સંઘના સેવક બનવાની જગ્યાએ સંઘના ધણી બની ગયેલા છે. મનફાવે તેવા સાધુભગવંતો લાવે, મનફાવે તેને કાઢી મૂકે. આવા કૃત્યન થાય તે માટે વિચારણા આવશ્યક છે. (B) સંઘના પૈસા ના ધણી જૈનાચાર્યો.. ટ્રસ્ટીઓ માત્ર મુનીમ છે દર વર્ષે સંઘોમાં દેવદ્રવ્ય-ગુરુભ્રવ્ય ની ખુબ મોટી આવક થતી હોય, તેના પ્રેરક ગુરુભગવંતો હોય..આ પૈસા બીજે આપવાની વાત આવે એટલે ટ્રસ્ટીઓ નનૈયો