________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (8) નવા બનતા તીર્થો અંગે (A) અસલી નામવાળા નકલી તીર્થો અંગે અમદાવાદ ની આસપાસ થોડા સમયમાં ઘણા બધા કલ્યાણકભૂમિ ના નામો સાથે તીર્થો બનતા જાય છે... સાવત્થી, ચંપાપુરી, રાજગૃહી, પાવાપુરી, સમેતશિખર આદિ આવા તીર્થો બનાવવા પાછળનો આશય સમજાતો નથી....જો આવા સ્થાપના તીર્થો બનશે તો મૂળ કલ્યાણકભૂમિ નું મહત્વ ઘટશે...અને વર્ષો પછી નવો ભ્રમ ઊભો થશે....લોકો આ સ્થાપના તીર્થો ને જ સાચી કલ્યાણકભૂમિ માની લેશે જેનું પાપ તે-તે સ્થાપકોને લાગશે... આવા વિચિત્ર તીર્થો બનાવવા કરતા મૌલિક તીર્થો બનાવો ને..શું વાંધો છે? ઊલટું મૌલિક તીર્થો હશે તો તે-તે તીર્થનું માહાભ્ય પણ વધશે.. હવે જે આ તીર્થો બન્યા છે તેનું નામ બદલવા માટે કમર કરવાની જરૂરત છે... (B) હાઈવે પર કહેવાતા તીર્થો અને વિહારધામો અંગે છેલ્લા 10-15 વર્ષથી હાઈવે પર વિહારધામો અને કહેવાતા તીર્થો ખુબ જ વધતા જાય છે. જે તીર્થો અને વિહારધામો નું કોઈ ભવિષ્ય દેખાતું નથી...અમુક તીર્થો તો આવતા 2-5 વર્ષમાં બંધ કરવા પડશે તેવું અત્યારથી લાગી રહ્યું છે...(જેમ ધંધુકા પાસે એક તીર્થ વેંચાઈ ગયું તેમ.)વળી હાઇવે-ટુ હાઈવે Fast વિહાર અને અકસ્માત નું કારણ પણ આ તીર્થો અને વિહારધામો છે. શું છેલ્લા 2500 વર્ષ થી વિહાર નતો થતો? ગામડે-ગામડે સાધુ-સાધ્વીજી ભગવંતો વિચરણ કરતા...અન્યધર્મના લોકો વચ્ચે પ્રવચનો થતા...અન્યધર્મી લોકો આપણા પૂજ્યો સાથે જોડાતા તો ઘણા અન્યધર્મી લોકો આ રીતે દીક્ષા પણ પામ્યા છે....વળી ગામડાઓમાં વિહારના કારણે વિહાર પણ ધીમો થતો...માસકલ્પ અથવા તેને અનુસરતી વ્યવસ્થાના પરિણામે ગામડાઓમાં વસતા શ્રાવકો પણ પૂજ્યો ના પગલે ધર્મભાવનાથી વાસિત બનતા... વળી આ બનતા નવા તીર્થો-ધામો નો ઉપયોગ અમુક સમય માટે જ થતો હોય છે...બાકી ના સમય માં આ ધામો ખોટી પ્રવૃતિની જગ્યા બની જાય છે...દારૂ– જુગાર-છોકરા છોકરીઓના એકાંત ની જગ્યા આ તીર્થો બની જતા ઘણાએ જોયા છે....વળી પરમાત્માથી માંડી ધર્મશાળા બધુ જ અર્જન પંડાઓના ભરોસે...હિસાબ-કિતાબમાં કાયમ માટે ગરબડ તો ધર્મશાળા આદિ પર તેમનો