SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો ફી (7) નવા જૈનો બનાવવાની ખાસ જરજીત પર પ.પૂ. આ.રત્નપ્રભસુ.મ. આદિ આપણા પૂર્વાચાર્યો એ નવા-નવા લાખો લોકોને પ્રતિબોધ આપી જૈનો બનાવ્યા. જેના કારણે આજે આપણે કહેવા પૂરતા જૈનો મળે છે. હવે ફરી ફરી આવા વિશેષ કાર્યો ની જરૂરત છે...બોડેલી ક્ષેત્રમાં પ. પૂ. આ. ઇન્દ્રદિન્નસૂરિજી મહારાજે લાખો પરમાર ક્ષત્રિયો ને પુનઃ જૈન બનાવ્યા....હાલ સરાક આદિ ના ક્ષેત્રો માં પણ આવા સુંદર અભિયાનો ચાલે છે. અમારા દ્વારા પણ જયપુરઆગ્રાની વચ્ચે ગુર્જર-જાટવો ના ક્ષેત્રમાં પણ આવા અભિયાન અંતર્ગત હમણાં 27 જેટલા જિનાલયોની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ...જરૂરત છે આ કામોમાં વેગ લગાવવાની..નામના, ગુરુનું નામ,સમુદાયનું કામ, હરીફાઈ આદિ છોડી ને બધાએ આ કાર્ય માં જોડાવાની જરૂરત છે...બધાએ તન-મન-ધનથી જોડાઈ અને જૈનશાસન ની મંગલવીણા વગાડવાની ખાસ જરૂરત છે... દરેક સમુદાય એવું આચાર્ય ભગવંતોના લેવલે આવા પ્રોજેક્ટો શરુ થાય અને દરેક ક્ષેત્રમાં જૈનધર્મની વૃદ્ધિ ની યોજના બનાવવામાં આવે તો ઘણું કાર્ય થઈ જાય..હમણાં થોડા વર્ષો થી પ.પૂ.આ.નરરત્નસૂરિજી મ.સા. ની આજ્ઞાથી તેમના સાધ્વીજી ભગવંતો આ સુંદર કાર્યમાં જોડાયા છે અને ધર્મપ્રચારને વેગ આપ્યો છે... તો સરાક ક્ષેત્રમાં આ. રાજેન્દ્રસૂરિજી મ.સા., આ. રાજશેખરસૂરિજી મ.સા. આદિએ પણ ધર્મપ્રચારની ગતિને વેગ આપ્યો છે. તો બીજી તરફ જયપુર આસપાસ ના એરિયામાં અમારા દ્વારા પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. આ કાર્યમાં પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.પુણ્યપાલસૂરિજી મ.સા. આદિ સરસ રસ લઈ કાર્યોને આગળ વધારી રહ્યા છે. બીજી એક વાત પાલિતાણા માં વસતા બારોટો આદિ પણ જૈનધર્મ પ્રત્યે ખુબ જ શ્રદ્ધા એવં લાગણી વાળા છે. છતાં આપણે તેમને જૈન ધર્મના અનુયાયી કેમ ન બનાવી શકાય? કેસરીયાજી માં ભીલો જૈનધર્મના તીર્થકરો પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા રાખે છે તો તે ભીલોને જૈન કેમ ન બનાવી શકાય? જો તે-તે લોકોને જૈન બનાવી દેવામાં આવે...જૈનશાસન પ્રત્યે શ્રદ્ધા ભાવવાળા બનાવવામાં આવે તો ઘણું કાર્ય થઈ જાય તેમ છે..દિગમ્બરો માં પણ સરાક ક્ષેત્રમાં પુ. જ્ઞાનસાગરજી મ.સા. આ કાર્ય કરી રહ્યા છે. તેઓને સરાક ઉદ્ધારક ની પદવી પણ આપવામાં આવી છે...“સરાક સોપાન' નામનું તેમનું મેગેઝીન પણ પ્રકશિત થાય છે.... આચાર્ય ભગવંતો ભલે કદાચ પોતે આ કાર્યન પણ કરી શકે પરંતુ પોતાના હાથ નીચે તૈયાર થયેલી યુવાશક્તિને આ કાર્યમાં જોડે તેવી ખાસ આવશ્યકતા છે.......
SR No.036511
Book TitleJain Shasanna Vicharniya Prashno
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherMission Jainatva Jagaran
Publication Year2019
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy