________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - એકવાર હું લક્ષ્મણીજી (M.P) માં ગયેલો..એકદમ સુમસામ વિસ્તાર... યાત્રિકોની નહીવત્ અવર જવર...મને લાગ્યું દેરાસરમાં કંઈ સારા-વાના નહિ હોય...પરંતુ હું જેવો જિનાલયમાં ગયો જીનાલયની સાફ-સફાઈ અને પૂજા-સજાવેલા ફૂલો આદિ જોઈ મારો ભ્રમ ભાંગી ગયો.....કારણ કે પુજારીઓ બોડેલી ક્ષેત્ર ના હતા...આવું તો અનેક તીર્થોમાં મેં જોયું છે. આપણા લોકો હોય તો બહુ મોટો ફરક પડતો હોય ...ભાવથી પૂજા કરે...મંદિરને સંભાળે....દિગમ્બરો ને ત્યાં આવું કાર્ય થતું હોય છે. તેમને ત્યાં પૂજા કરનાર અને જિનાલય સંભાળનાર દિગમ્બર જ હોય છે. જે ના છુટકે અન્યધર્મી રાખે તો 4-5 વર્ષમાં તેને પ્યોર દિગમ્બર જૈન બનાવી દે અને થોડા વર્ષો બાદ ધર્મઝનૂની કટ્ટર દિગમ્બર જૈન બની જાય....