________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો 9) જૈનોના તીર્થો માં સ્ટાફ સંપૂર્ણ જૈન જ હોવો જોઈએ જૈનોના તીર્થો આદિમાં સ્ટાફ સંપૂર્ણ પણે જૈન જ હોવો જોઈએ. આ અંગે મેં બે કેટેગરી વિચારી છે...(૧)જિનભક્ત(પુજારી) (2) જિનરક્ષક(મુનીમ)...પુજારીગોઠી આદિ શબ્દોને તિલાંજલિ આપી આપણે જિનભક્ત અને જિનરક્ષક બને પ્રકારના પદ આપણા જ સાધર્મિકો ને આપવાના છે...સ્વામીનારાયણ ની તમામ સંસ્થામાં કાર્યકર તો હરિભક્ત જ મળશે....આવું જ કંઈ શીખોના ગુરુદ્વારામાં છે...જ્યારે આપણે ત્યાં બધો જ સ્ટાફ પરધર્મી જોવા મળશે..વળી પરધર્મી સ્ટાફ પણ જૈનધર્મ પ્રત્યે જરાય બહુમાન ધરાવતો હોતો નથી... માત્ર પૈસા કમાવાનું સાધન જ સમજી કામ કરે છે. વળી આપણા તીર્થોમાં તેમની હાજરી ના કારણે તેઓ નાના-મોટા અજૈન મંદિરો બનાવતા હોય છે...અને પૂજા આદિ તદ્દન ભાવશૂન્ય થઈ કરતા હોય છે...તો જિનાલાયોની સ્વચ્છતા અંગે પણ બહુ મોટો પ્રશ્ન હંમેશા રહેતો હોય છે... આ વસ્તુના નિવારણ માટે એક ચોક્કસ સમિતિ બનાવવી...જે જિનભક્ત અને જિનરક્ષકો નું સંચાલન કરે. તેમના પગારો ફિક્સ...તેમનો ડ્રેસકોડ પણ પરમાત્માના જિનાલય ની જેમ વિશેષ હોય...હમણાં કેટલાક પુજારી ધોતી ઉપર ગંજી કે ટી-શર્ટ પહેરતા હોય છે...આ વસ્તુનો ખાસ નિવારણ થાય અને કેશરીયાજી માં જેમ અદ્ભુત સાફા સહિત નો ડ્રેસકોડ પુજારી માટે છે તેવો અન્ય જગ્યાએ પણ લાગુ કરાવવો રહ્યો...વળી સમિતિ જિનભક્તો અને જિનરક્ષકો ને ટ્રેનીંગ પણ આપે. તેમના કાર્ય અનુસાર તેમનો પગાર પણ વધે તો જિનભક્તો આગળ વધી જિનરક્ષકો સુધી પહોચી પણ શકે તેવું પ્લાનિંગ કરાય....વળી આપણા યુવાનોને પણ આ કાર્ય માટે પ્રવચનાદિમાં ઉપદેશ આપવો તથા વીમા પોલીસી, કાયમી નોકરી, ચોક્કસ પગાર, કાયમી નિવાસ આદિ તથા પેન્શન આદિ દ્વારા આપણા યુવાનો ને પણ આ કાર્ય માટે આકર્ષિત કરી શકાય...આ ઉપરાંત સરાક જાતિ, બોડેલી ના પરમાર ક્ષત્રિયો,જયપુર આસપાસ ના ગુર્જર-જાટવો જ્યાં જૈનત્વ જાગરણ અભિયાનો ચાલુ છે તેવા ક્ષેત્રોમાંથી આવા કાર્ય માટે યુવાનો તૈયાર કરવા...આ ઉપરાંત વિશેષ પ્રેરણાઓ આપી-આપી આવા જિનભક્તો અને જિનરક્ષકો તૈયાર કરવામાં આવશે તો જૈનશાસનમાં તીર્થરક્ષા-જિનાલયરક્ષા આદિ કાર્યો સહજ રીતે થશે. (એક વખત અમદાવાદની આણંદજી કલ્યાણજી પેઢી ની મુલાકાત લઇ આવવા જેવી છે)