________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - પૂર્ણ કબજે જોવા મળે. તો વળી આપણા ટ્રસ્ટીઓને આવવાની જોવાની ફુરસદ પણ ક્યાં હોય છે? વળી પ્રતિમાજી-આભૂષણો ની ચોરી નો પણ ભય.. આપણા પૂર્વજોએ કોઈ પણ તીર્થ ગામ બહાર બનાવ્યા હોય તેવો ઉલ્લેખ મળે છે ખરો? એક પણ એવા પ્રસિદ્ધ તીર્થો છે ખરા? શંખેશ્વર-નાગેશ્વર-અજાહરા-તંભન પાટણ આદિ અનેક તીર્થો ગામની વચ્ચો વચ્ચ જ જોવા મળે છે. જૈનો ભલે જતા રહે પણ ગામ હોય વસ્તી હોય તો તીર્થો નું રક્ષણ થાય...માટે વિચાર કરી હાઈવે પર તીર્થો બનાવવાનું માંડી વાળવું જોઈએ.