SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગને પ્રગટ કરતી, દયા ધર્મને દૂર ભગાવતી, નગ્ન શરીરે માંસ ભક્ષણ કરવાને મુખ ઉઘાડતી, કપાલ કંબંધ અને ત્રિશૂળને ધારણ કરતી બિરાજમાન હતી અને માહિદત રાજા એજ દેવીનો મોટો ભક્ત હતા. . . . . . ! ભરવાચાર્ય–“રાજ જે આકાશમાં ફરનાર મુસાફર થવું હોય અને વિધાધર શત્રુઓને જીતવા હોય, તો જળચર, નભેચર અને સ્થળચર જીવોના જોડકાંઓને ચંડમારી દેવીને માટે હવન (હોમ) કર કે જેથી તારું સઘળું કાર્ય સિદ્ધ થશે. ' મારિદત્ત—“ આચાર્ય ! આપની આજ્ઞા પ્રમાણે. કોટવાલને - મોકલીને સઘળી જાતના છગોના જોડાં બોલાવું છું. " આ પ્રમાણે કહીને રાજાએ અમાત્ય મંત્રીને કહ્યું કે કોટવાલને બોલાવીને હુકમ કરો કે સઘળા જીવોના જેડાં લાવીને કુળદેવતા ચંડમારી દેવીના મ દીરમાં એકઠાં કરો.” મંત્રી–મહારાજ ! આપની આજ્ઞા પ્રમાણે હું હમણાં કોટવાલને બોલાવીને આપને હુકમ સંભળાવું છું. " આ પ્રમાણે કહીને મંત્રીએ કોટવાલને બોલાવવાને સિપાઈ મકો , એટલે સિપાઈ જઈને કોટવાલને બોલાવી લાવ્ય. કેટવાલ–“મંત્રીજી ! આપની આજ્ઞાનુસાર હાજર થયો છું, આપને જે હુકમ, હોય તે ફરમાવો.” - सघळा जीवोनां जोडां लाववानो हुकम. મંત્રી –“મહારાજે એવો હુકમ કર્યો છે કે જળચર, સ્થળચર અને નભયર એવા સઘળા જીવના જોડા ચંડમારી દેવીના મંદીરમાં એકઠા કરવાની સિપાઈઓને આજ્ઞા કરો. " કેટવાળ૦–“જેવી આશા ! - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy