SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ * 368 . - વિનયથી વિદ્યા લેવાય, પુષ્કલ ધનથી લેવાય, કે વિદ્યાથી વિદ્યા લેવાય, એ ઉપાય નથી-૧૯ * શાલિવાહનને બોલાવ્યું ત્યારે તે બોલ્યો કે હું શું તેને જોકર છું, કે તેને કાંઈ ગરાસ ખાઊં છું, કે તેણે મારી કાંઈ વૃત્તિ બાંધી આપી છે, કે મને મરણથી ઉગાય છે, કે તે મારા પિતાનો સંબંધી છે, કે મારે પિતા તેનો સેવક છે? હું ભિક્ષુક નથી, ગંધર્વ નથી, દરિદ્રી નથી, ભયબ્રાંત નથી, મારે નૃપનું કોઈ કામ નથી-- 20 -21-22 પિલા મેલેલા દૂત આવું ગર્વનું વચન સાંભળી પ્રત્યુત્તર કહેતા હવા- 23 હે સર્વ ગુણાધાર ! હે સર્વજ્ઞાનવિશારદ ! તમને મહાબુદ્ધિસાગર જાણીને વિક્રમ બોલાવે છે-૨૪ તમે માન્ય છે, ગુણજ્ઞ છે, વિવેકી છે, બાલક છતાં બુદ્ધિમાન છે, માટે તમારાં દર્શનની ઇચ્છા છે–ર૫ . ત્યારે વળી શાલિવાહને કહ્યું કે વિક્રમને જો ગરજ હશે તો ઘણે અવ આવશે–૨૬ . તમે તમારે જાઓ અને તમારે ધંધે લાગે, જે રાજાને મારું કામ હેય તે અહીં મોકલજે-૨૭ તે કામ કરીને આવજો એમ કહી મેકલેલા એવા પણ તે દૂત આવું સાંભળી વિમનસ્ક થઈ ચાલતા થયા-૨૮ વિક્રમ પાસે આવીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! - એતે મહા ગષ્ટ છે ને મદમસ્ત છે, અમારી વાત માનતું નથી–૨૯ . આપ પૂજયના વચનનું તેણે એવું ઉત્તર આપ્યું કે શું હું કાંઈ તેમને સેવક છું જે ત્યાં આવું–૩૦ કામ હશે તો રાજા તેિજ આવશે, કેતકી પોતે કહીં જતી નથી, ભ્રમર પિતાની મેળે જ આવે છે.-૩૧ P.P. Ac. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy