SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કહીંક ભૂમિએ શમ્યા, કહીંક પલંગે પિઢવું, કહીંક ભાજીખાવી, કહીંક કદનો સ્વાદ લે, કીંક કંથાધારી થવું, કહીંક દિવ્ય વસ્ત્ર ધરવાં, અહે! જે મનસ્વી કાર્યાર્થી છે તે સુખ કે દુઃખ નથી ગણત-૨૭૭. એમ થવાથી રાજ્ય શૂન્ય થઈ ગયું એટલે અવંતિમાં, એક અગ્નિ એ નામને મહાક્રર વેતાલ, રાજભવનમાં આવી ભરા-૨૭૮. કારભારીઓ જેને જેને ને રાજા બનાવે તેને તેને રાત્રિએ, મહારાક્ષસની પેઠે તે મારી નાખવા લાગે-ર૭૯. બલિ, પૂજા, દાન, ઇત્યાદિ કશાથી તે પાપી શમતો ન હતો, ને તેથી મંત્રીઓ શું કરવું તે સમજી શકતા ન હતા–૨૮૦. - ' એમ કેટલેક સમય વીત્યા પછી વિક્રમાર્ક સાધારણ વિષે રખડતા એક ભાટને સાથે લઈ ત્યાં આવી ચઢયે-૨૮૧. , મંત્રીઓ તે વાત જાણતા નહતા, તેવામાં એક વખતવિક્રમાક ચટામાં ફરતો હતો ત્યાં તેણે એક પંચશબ્દ સમેત ઢઢેરે સાંભ-૨૮૨. વિક્રમે વિસ્મય પામી લેકેને પૂછયું કે આ શું છે ? એની જે મતલબ હોય તે મને યથાર્થ સમજાવ–૨૮૩. તેમણે કહ્યું પથ! સાંભળ. એ દૂધ તો છે પણ એમાં મહા કષ્ટ છે, કેમ કે એ ઢંઢેરે સ્વીકારવાથી તુરત રાજ્ય મળે છે, પણ પ્રાતઃકાલે પ્રાણ જાય છે, એટલે કોઈ પાસે જતું નથી–૨૮૪–૨૮૫. * આવું સાંભળી વિક્રમ પેલા ઢોલ પાસે આવ્યા અને મંત્રીઓને પૂછવા લાગે કે આ રાજય શૂન્ય કેમ છે?–૨૮૬. તેમણે ઉત્તર કહ્યું કે હે પથ! શ્રીભર્તુહરિની પછીથી જે જે રાજા થાય આ છે તે તે મરી જાય છે–૨૮૭. તેમ કરનાર જે કઈ ક્રૂર વેતાલ, ભૂત, પિશાચ, રાક્ષસ છે તે બલિ, પૂજા, દાનાદિથી શાંત થતો નથી–૨૮૮. વિક્રમે કહ્યું કે હે મંત્રીઓ! હું આજે રાજા થાઉં છું, ને પછી કાલ વિચારીને યથાગ્ય સર્વ વાત હું કરીશ–૨૮૯. P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy