SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 133 ર બેશીને પીએ છે. એ વિનાના બીજા જે મને રથકલ્પિત પ્રાસાદવાપી આદિને તટે ક્રીડાકાનનની કેલિનાં કૌતુકેમાં મઝા માને છે તેમનું તો આયુષ્ય ક્ષીણ થયાં જાય છે.૧–ર૬૮. શું એવા સુદિવસ મારે આવશે કે જયારે ગંગાતીરે હિમાલયના કોઈ પથરા ઉપર પદ્માસન બાંધીને હું ધ્યાનમાં નિમગ્ન હેઈ યોગનિદ્રામાં પડે તે સમયે નિશંક થઈ વૃદ્ધ હરિણે પિતાનાં શીંગડાં મને ઘસીને વિનોદ પામે!—૨૬૯. . એક સ્ત્રી તેજ વિષને અમૃત સવે છે, કેમ કે રક્ત હોય તો તે અમૃત છે, ને વિરક્ત હોય તે વિષ છે–૨૭૦. આ સંસારની અસારતા જાણી, વિષયને વિષ જેવા ગણી, રાજયને તૃણવત્ લખી, પરમાનંદપૂર્ણ થઈ, સુશાંતરસ સંપૂર્ણ એ રાજા, મતિ અને મિત્રી નામની અંગના સાથે લઈ, કાંચન અને માટીને સમાન ગણત, યોગીશ્વરોમાં શ્રેષ્ઠ એવો મહાગી થયે- ૨૭૧--૨૭ર. સેવિતાં સવિરસ વિરસ ધકકા ઈકિક જોઈ નમુ જિમ જિમ સેવઇતિમતિમ મીગુ હાઈ-ર૭૩. વારંવાર સેવવાથી રસ માત્ર વિરસ થાય છે, પણ રસરાજ તે શાંત , રસજ છે કે જેમાં સર્વ સ્વાદને સમાસ છે–૨૭૪. | સર્ષમાં કે પુષ્પહારમાં, રિપુઓમાં કે મિત્રોમાં, મણિમાં કે માટીમાં, કુસુમશધ્યામાં કે પથરામાં, તૃણમાં કે સુવર્ણમાં, ગમે ત્યાં પણ સ્થિર મનવાળો જે હું તેના દિવસે કોઈ પુણ્ય અરણ્યને વિષે શિવ શિવ એ તાનમાં સુખે નિર્ગમે છે–ર૭૫. કવચિત્ વિણાનાદ તો કવચિત હાય હાય એમ રડાપીટ, કવચિત રમ્યરામ તે કવચિત્ જરાથી ખખળી ગયેલ દેહ, કવચિત્ વિદ્વકાર્તાઓ તે કવચિત્ દારૂડિયાઓનાં તોફાન, અહે! સંસાર તે અમૃતમય છે કે વિષમય તે સમજાતું નથી!!—૨૭૬. 1. આ તથા પછી ક વૈરાગ્ય શતક્યાં છે. નમુ શબ્દ સમજાતો નથી. બાકી અર્થ સ્પષ્ટ છે, કે સર્વ રસ જેમ જેમ સેવાતા જાય તેમ તેમ વિરસ થાય છે. એક...તેજ એવું છે કે જેમ સેવાય તેમ મોઘું થાય છે. 2. આ લોક તથા પછી ના બે વૈરાગ્ય શતકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy