SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 199 જરા પણ શ્યામ નથી, જયાં કેશર તેજ કંકું મરૂપે લેક માથે લગાડે છે. જયાં સર્વત્ર સૂર્યવાદકને માથે પણ કસ્તૂરી દીઠામાં આવે છે, એ પ્રકારના વિદ્રજજનહૃદયાનંદ કરનાર દેશમાં ફરીને તે રલપુર નગરમાં ગયો-૨૯૩૦-૩૧-૩૨-૩૩ ત્યાં પૂર્વ દિશાએ સૂર્યબિંબ જેવું ગોલ, સૂર્યકાન્ત મણિથી રચેલું, - ઘડી, નલ, આદિથી યુક્ત, આઠ આરાવાળું, સે પગથી આંવાળું, ચંદ્રકા ન્ત મણિથી જેનું તલ બાંધેલું એવું, દશહજાર નાનાં નાનાં દેવગૃહથી શોભીતું, આઠ દાનશાલા સમેત, જલવજત, બકલવાળું, મહા આનંદદાયક, ઉત્તમ પ્રાસાદયુક્ત, ચેતરફ સુંદર વનપ્રદેશથી રમ્ય, સદા જેને ફલ લાગેલાં એવાં સરસ વૃક્ષથી ને સુંદર પુષ્પવૃક્ષથી રમણીય, એવું સરેવર તેણે દીઠું, તેથી અતિ કૌતુક પામીને તે દૂત બકલ ઉપર જલદીથી ગ–૩૪-૩૫-૩૬-૩૭-૩૮-૩૯ ત્યાં મેજીંગ જેવા પ્રભાવાનું અને રમ્ય એવા દેવગૃહમાં તે, આ બહુ વિચિત્ર્ય પેદા કરનારા સરોવરને જોતે, પેઠે-૪૦ , તેમાં રત્નની જલાધિષ્ઠાત્રી દેવીની પ્રતિમા હતી, ને તેની મહાપૂજા થઈ ગયેલી હતી, તથા તેને અંગે મહા આભૂષણ શોભી રહ્યાં હતાં–૪૧ દેવીને નમન કરીને પ્રાસાદમાં ચોતરફ ફરતો ફરતો, સત્રાગારની પાસેના મંડપકાર આગળ તે આવ-૪૨ જનપૂજિત એવા તે સત્રાગારને ચાર બારણાં હતાં, જયાં આગંતુક લેકને ઉત્તમ ભેજન આપવામાં આવતાં હતાં–૪૩ ત્યાં એક સ્વર્વિમાન કરતાં પણ સુંદર એવી રમ્ય મંડપિકા હતી જેમાં દશભાર સુવર્ણને એક પુરુષ હતો-૪૪ 1. પાસે વિશાલ કીર્તિસ્તંભ હતો ને તેના ઉપર સુવર્ણક્ષરથી કાંઈ લ ખેલું હતું જે વાચીને ક્ષણભર બહુ ચમત્કાર પામે-૪૫ * માણસ કેટલુંક જાણીશકે પણ મૂલથી બધું ન જાણી શકે માટે તેણે દેવાચંકને પૂછ્યું કે આ સરોવર કોણે કરેલું છે?—૪૬ સરેવરમાં જરા પણ જલ નથી એનું શું કારણ છે ? ને કીર્તિસ્તંભ આગળ આ સુવર્ણમય મહાપુરષ કોણ છે? 47 * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy