________________ | - આ પરમાત્માને પુણ્ય પ્રભાવ બહુ વિશેષ છે. ઉત્તરકુરુક્ષેત્રમાં ગુગલિક વાય છે, બે વખત તીર્થકરના પુત્ર થાય છે, બે વખત ચકી થાય. છે, એક વખત બળભદ્ર થાય છે. તીર્થકર સિવાયના બે ભવમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી મહા પુણ્યાશી કાઈકજ જીવમાં દષ્ટિએ પડે છે.' . આ ચરિત્રના પ્રથમના પાંચ પ્રસ્તાવમાં પાંચ કથાઓ મંગળકળશનીમદરની-મિત્રાનંદ અમરદત્તની પુણ્યસારની ને વત્સરાજની બહુ મોટી છે, તે સિવાય બીજી કથાઓ પણ છે. છઠ્ઠા પ્રસ્તાવમાં તે નાની મેટી 16-17 કથાઓ છે તે દરેક વાંચવા યોગ્ય છે, ઉપદેશથી પરિપૂર્ણ છે તે બધી અનુક્રમે ણિકામાં જણાવેલ છે. આ ચરિત્ર ઉપરથી પંડિત શ્રી રામવિજ્યજીએ રાસ પણ બનાવેલો છે, તે ઘણે રસિક છે અને બહુ જગ્યાએ વારંવાર વંચાય છે. ઉપરાંત આ ચરિત્રની અંતર્ગત આવેલી મંગળકળશ વિગેરેની કથાઓના પણ જુદા જુદા રાસ બનેલા છે અને તેમાંના એક બે છપાયેલા પણ છે. *' ! . આ ચરિત્રના કર્તા કયારે થયા?કેની શિષ્યપરંપરામાં થયા ? વિગેરે હકીકત પ્રશસ્તિજ કરેલી ન હોવાથી લભ્ય થઈ શકેલ નથી. - - - " ઉપર બતાવેલા નવ ચરિત્ર પૈકી પ્રથમનું કયું ને પછીનું કયું તે બધા ચરિત્રોના સંવત જાણ્યા સિવાય કહી શકાય તેમ નથી, તે પણ પ્રાકૃન ચરિત્ર પ્રથમનું છે. ત્રિષષ્ટિનું ત્યાર પછીનું છે. બીજા પદ્યબંધ ચરિત્રે ત્યારપછીના છે. આ ગદ્યબંધ ચરિત્ર શ્રી અજિતપ્રભસૂરિકૃત પદ્યબંધ ચરિત્ર પછીનું છે. કારણ કે તે ચરિત્રનું જ આમાં અનુકરણ કરેલું છે. કથાઓ બધી તેજલીધેલી છે. મુનિભદ્રસુરિવાળા ચરિત્રમાં બનાવ્યાનો સંવત 1410 નો છે. હેમચંદ્રાચાર્યની નિનો સંવત તો તેઓ કુમારપાળ રાજાના સમકાલીન હોવાથી જાણી શકાય તેમ છે. પ્રાકૃત ચરિત્ર તેમનાથી થોડા વખત અગાઉનું છે. ઐતિહાસિક શેધની પ્રવૃત્તિવાળા બીજા ચરિત્રોને સંવત નક્કી કરી શકે તેમ છે. તેથી તે હકીકન તેમના પર છોડવામાં આવે છે. તે આ ભાષાંતર પ્રગટ કરવામાં પ્રથમ કોર્ટની સહાય નહોતી, પાછળથી શણપુર નિવાસી શેઠ નાગરદાસ પુરૂત્તમદાસે પિતાના સદ્દગત લઘુ બંધુ ઉજમશીભાઈના શ્રેયાર્થે તેમજ સ્મરણાર્થે યોગ્ય સહાય આપી છે. તેથી તે બંધુને ફેટે આ બુકમાં મૂકવામાં આવ્યો છે. આનું નામ ખરૂં બંધુપાયું છે. ઉજમશીભાઈ સ્વભાવે શાંત, સરલ, પરમાત્માની ભક્તિના રાગી, ગુરૂભક્તિમાં તત્પર અને સ્વામીભાઈને સહાય આપવામાં ઉત્સુક હતા. જ્ઞાન ઓછું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust