SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીતિનાથ ચ.િ વાં આહારાદિકના દાનવડે મુનિઓને સત્કાર કરનારા શ્રી શાંતિનાથ ભગવાને પ્રતિબંધ પમાડેલા બે લાખ ને નેવું હજાર - શ્રાવકો થયા, તથા વિશિષ્ટ ગુણોને ધારણ કરનારી ત્રણ લાખને ત્રાણુંહાર શ્રાવિકાઓ થઈ. જિન નહીં છતાં જિનની જેમ અતીત, અનાગત અને વર્તમાન વરૂપને જાણનાર આઠ હજાર ચૌદ પૂવ થયા. સંખ્યાતા મનુષ્ય ભ સુધીના રૂપી દ્રવ્યોને જેનારા ત્રણ હજાર અવધિ જ્ઞાનીઓ થયા. અહીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના પર્યાયોને જાણનાર ચાર હજાર મન:પર્યવ જ્ઞાની થયા. છ હજાર વદ્રિય લબ્ધિવાળા મુનિઓ થયા તથા બે હજાર ને ચાર વાદલબ્ધિવાળા થયા. આટલા પરિવાર શાંતિનાથ પ્રભુને થયે. ' . શ્રી શાંતિનાથના શાસનમાં ભગવંતની વૈયાવૃત્ય કરનાર અને શ્રીસંઘના સમગ્ર વિદનેના સમૂહનો નાશ કરનાર ગરૂડ નામે યક્ષ છે. તથા ભક્ત જનને સહાય કરનારી નિર્વાણ નામની શાસનદેવી થઈ. ચકાયુધ રાજાને પુત્ર કેણુંચળ નામનો રાજા ભગવાનને સેવક થે, ભગવાનનું શરીર ચાળીશ ધનુષ ઉંચું હતું, પ્રભુને મૃગનું લાંછન હતું અને ત્રણ જગતમાં કોઈની ઉપમાન આપી શકાય તેવું સુવર્ણના વર્ણ જેવું તેમનું રૂપ હતું. તે ભગવાનને ચાર અતિશય જન્મથી જ ઉત્પન્ન થયેલા હતા, અગ્યાર કર્મના ક્ષયથી ઉત્પન્ન થયા હતા, તથા ઓગણીશ અતિશદેવના કરેલા હતા. આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલા ચાવીશ અતિશય સર્વ જિનેશ્વરેને હોય છે તથા ત્રણ જગતને એશ્વર્યાને જણાવનાર છત્રત્રય, અશોક વૃક્ષ વિગેરે આઠ પ્રાતિહાર્યો હેાય છે. : શ્રી શાંતિનાથ જિનેશ્વર પંચોતેર હજાર વર્ષગૃહવાસમાં રહ્યા, એકવર્ષ છઘસ્થપણે રહ્યા અને એક વર્ષ ન્યૂન પચીશ હજાર વર્ષ કેવળી પર્યાયનું પાલન કર્યું. સર્વ મળીને ભગવાનનું એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. પ્રાતે જગદગુરૂ પિતાને નિર્વાણ સમય નજીક આવેલ જાણું સંમેતશિખર પર્વત ઉપર આરૂઢ થયાં. એટલે સ્વામીને નિર્વાણ સમય નજીક જાણીને સર્વ દેવેંદ્રો ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy