SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 34 શ્રી ચાતિનાથ ચરિત્ર. ઓછો થાય છે, તેમ તેમ આરંભ અને પરિગ્રહ પણ ઓછા થાય છે, અને તે ઓછા થવાથી મનને સુખ તથા ધર્મની સિદ્ધિ થાય છે.” એમ કહી સુલસની ઈચ્છાનુસાર તેને ધન આપી તેની રજા લઈ" તે દેવ પિતાને સ્થાને ગયે... એકદા સુલસ નગરની બહાર ઉદ્યાનમાં ગયે. ત્યાં કઈ ઠેકાણે તેણે નિધાન જોયું. તે જ વખતે રાજપુરૂએ તેને નિધાન દેખતે જે તેના ગયા પછી રાજપુરૂએ પણ તે નિધાન જોઈ મનમાં વિચાર્યું કે-“ખરેખર, આપણને જોઈને જ આ સુલશે આ નિધાન લીધું નહીં, પરંતુ કાલે છાની રીતે આવીને લઈ જશે.” ત્યારપછી બીજે દિવસે પણ સુલસ બહાર ગયો ત્યારે તે જ પ્રમાણે તે નિધાન જોયું. તે વખતે ગુપ્ત રીતે દર રહેલા રાજપુરૂએ પણ તેને જે. તેજ રીતે સાત દિવસ સુધી તેણે નિધાન જોયું, પણ ગ્રહણ કર્યું નહીં. રાજપુરૂએ પણ તેને સાત દિવસ તે જ પ્રમાણે જે, પણ નિધાન લેતાં જોયો નહીં. પછી આઠમે દિવસે સુલસ તે દિશાનો ત્યાગ કરી બીજી દિશામાં શરીરચિંતા માટે ગયે. તે જોઈ વિસ્મય પામેલા રાજપુરૂષોએ તેને સમગ્ર વૃત્તાંત રાજા પાસે નિવેદન કર્યો. તે સાંભળી રાજાએ સુલસને બેલાવી પૂછ્યું કે-“હે સુલસ! તે નિધાન જેવા છતાં ગ્રહણ ન કર્યું તેનું કારણ શું ?" સુલશે જવાબ આપે કે –સ્વામી! મેં પરિગ્રહનું પરિમાણ કરેલું છે, તેથી જો હું તે નિધાન ગ્રહણ કરું તે પ્રમાણથી અધિક ધન થાય તેવું છે, અને તેથી મારા નિયમનો ભંગ થાય છે, માટે મેં તે ધન ગ્રહણ કર્યું નહીં.” તે સાંભળી તેનું નિર્લોભી પાડ્યું જી રાજાએ તેની ઈચ્છા વિના પણ બળાત્કારે તેને પિતાના ભાંડાગાર (કેશ) નો ઉપરી બનાવ્યું. આ જ એકદા તે નગરના ઉદ્યાનમાં શ્રી અમરચંદ્ર નામના ચાર જ્ઞાનવાળ જૈનાચાર્ય પધાર્યા. તેનું આગમન કે પુરૂષે સુલસને જણાવ્યું. તે સાંભળી સુલ હર્ષ પામી તે ગુરૂનું આગમન રાજાને જણાવ્યું. પછી રાજા અને સુલસ અને પરિવાર સહિત ગુરૂ પાસે જઈ તેમને વંદના કરી એગ્ય સ્થાને બેઠા. ગુરુએ પ્રતિબધ કરનારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy