SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ 14 પ્રસ્તાવ. 283 અને વિપરીત થયેલા વિધિના વિલાસો આ સર્વને પણ જાણી શકે? કોઈ જ નહીં.' ખરેખર વિધિના વિલાસો આવા જ હોય છે અથવા તે વિષયમાં આસક્ત ચિત્તવાળાને વિપત્તિઓ પ્રાપ્ત થવી દુર્લભ નથી. " વળી ફરીથી વિચાર કરવા લાગ્યું કે -" અહા મેટા પ્રભાવવાળા જીવ આવા પ્રકારથી વૈરાગ્ય પામીને સમગ્ર પરગ્રહનો ત્યાગ કરી મમતા રહિત થઈ નિર્મળ તપસ્યા કરે છે. " આ પ્રમાણે તે ગુણધર્મકુમાર વિચાર કરતા હતા તેટલામાં કનકવતી બોલી કે –“હે સ્વામી ! તમારામાં પરાક્રમ છતાં તમે કેમ ખેદ કરો છો? હજુ સુધી તમે નિરોગી અને અખંડ અંગવાળા છે. કહ્યું છે કે - * * - રીનો વિધે, સૈદ્ધા છતા મહી . વિપયા નોમુ, કામં વિદ્યથ વિમ્ ? દીન જનોનો ઉદ્ધાર કર્યો નથી, એક છત્રવાળી પૃથ્વી કરી નથી, તેમજ વિષયે પણ ભેગવ્યા નથી; તો ત્યાંસુધી શા માટે અત્યંત ખેદ કરે જોઈએ?” આ પ્રમાણે તે બન્ને વાત કરતા હતા, તેટલામાં જે કે રાત્રિના સમય થયો હતો તો પણ તે કુમારપ્રિયાનું વચન સાંભળી પિતાના ચિત્તમાં વૈરાગ્યની ભાવના ભાવ જાગ્રત જ રહ્યો. તેવામાં ફરીથી તે ખેચર ત્યાં આવ્યો. તેને કુમારે જીતી લીધે; પરંતુ તેને જીવતો મૂક્યો. ત્યારપછી પ્રાત:કાળે તે કુમાર કુળતિની રજા લઈ કોઈ નગરમાં ગયા. ત્યાં બહાર ઉદ્યાનમાં ગુણરત્નમહેદધિ નામના સૂરિને જોઈ પ્રિયા સહિત કુમારે તેને નમસ્કાર કર્યા. પછી મેહરૂપ નિદ્રાનો નાશ કરનાર તેમની ધર્મદેશના સાંભળી સૂરિને પ્રણામ કરી એકાતે જઈ વૈરાગ્યમાં તત્પર કુમારે પ્રિયાને કહ્યું કે –“હે પ્રિયા ! હવે આપણે આ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરીએ.” તે સાંભળી વિષયથી વિરક્ત નહીં થયેલી તે બોલી કે “હે સ્વામી ! હજુ આપણું નવીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy