SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રસ્તાવ. - 250 कृते प्रतिकृतं कुर्यात्, लुचिते प्रतिलुंचितम् / તવયા નુંવાપિતા , મયા મુંડાપિત શિરઃ || 6 || જે કઈ કાંઈ (સારું કે નબળું) કરે તેને તેને તેજ બદલે આપવો એગ્ય છે; જે કુંચિત કરે તેને કુંચિત કરવું જોઈએ, માટે તે મારી પાંખો વંચાવી (કપાવી) તો મેં તારૂં મસ્તક મુંડાવ્યું.” આ કથા અન્યત્ર છે. વળી કહ્યું છે કે "દુ વિજ્ઞ પુત્ત, ઝીદ તિજ્ઞરૂ ઝઝ . આ મિરદ કિન્નર મેર, રમ મિm૬ / 2 “ધુની સાથે ધતા કરવી, આળ દેનારને આળ દેવું અને " મિત્રાઈ રાખનારની સાથે મિત્રાઈ રાખવી. એ રીતે કાળ નિર્ગમન, કરવો.” આ પ્રમાણે વત્સરાજનાં વચન સાંભળી તે રાજા તેની ભક્તિ અને શક્તિથી અત્યંત પ્રસન્ન થયો, અને પોતાનો પ્રયાસ નિષ્ફળ થવાથી કાંઈક લજજા પામ્યો. પછી પોતાને ઘેર જઈ તે વિચાર કરવા લાગ્યો કે--“વત્સરાજની પત્ની સાથે ક્રીડા કરવાની ઈચ્છાથી મે ઘણું પાપ બાંધ્યું છે, તથા લેકમાં લાઘવને પામ્યો છું.” એમ વિચારી તેણે શ્રીસુંદરી નામની પોતાની પુત્રી વત્સરાજને પરણવી, અને પ્રજાની સંમતિ લઈ રાજ્ય પણ તેને જ આપી પોતે તાપસ થયો. ત્યારપછી તે વત્સરાજ રાજ્યને પાળી ઘણા દેશે સાધી પુણયવિાન અને દઢ પરાક્રમી થઈ મહારાજાની પદવી પામ્યા. એકદા કોઈ પુરૂષે સભામાં આવી વત્સરાજ રાજાને પ્રણામ કરી તેની પાસે એક લેખ મૂકી વિનંતિ કરી કે -- “હે દેવ ! હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી આવ્યો છું. આ વિજ્ઞાપ્તને પત્ર નગરવાસી લેકેએ મોકલ્યો છે.” તે સાંભળી રાજાએ તે લેખ હાથમાં લઈ પાસે બેઠેલા લેખવાચકને આપે. તેણે તે લેખ ઉઘાડી રાજાની પાસે આ પ્રમાણે વા.- “સ્વસ્તિશ્રી ઉયિની નગરી મધ્યે વત્સરાજ રાજા પ્રત્યે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી પુરજને પ્રણામ પૂર્વક વિનંતિ કરે છે કે--જેમ ગ્રીષ્મઋતુથી પીડા પામેલ જિન મેઘનું સ્મરણ કરે અને શીતથી પીડાયેલે જન અગ્નિનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy