SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 201 પંચમ પ્રસ્તાવ. એક દેવ વાઘનું રૂપ કરીને તે વાનરીની પરીક્ષા કરવા અહીં આવ્યા હતા, તેથી તે દિવ્ય શકિતવાળ વાઘ મનુષ્ય વાણીએ બોલતો હતે. તે વાઘે વાનરી અને નિષાદની સાથે ઘણે પ્રકારે વાદવિવાદ કર્યો હતા, અને અનેક દષ્ટાંતે કહ્યા હતા.” આ પ્રમાણે ગુરૂએ કહેલું વાઘનું વૃત્તાંત સાંભળી તે રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તેણે પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી તેજ ગુરૂની સમીપે દીક્ષા પ્રહણ કરી, અને તે હરિપાળ રાજર્ષિ સંયમ પાળી સિધિર્મ કલ૫માં દેવપણે ઉત્પન્ન થયા. તિ નિ૯િ વાનર ગાથા. " જેમ તે નિષાદ જીવહિંસાએ કરીને નરકે ગયે, તેજ પ્રમાણે બીજા જીવ પણ જે પાપ કરે છે તે પાપના પ્રભાવથી નરકેજ જાય છે. ' માટે હે સ્પેન પક્ષી ! તારે પણ જીવહિંસાને સર્વથા ત્યાગ કરવો રોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી તે સ્પેન પક્ષીએ મેઘરથ રાજાને કહ્યું કે–“રાજન ! તમે સુખી છે, તેથી આ પ્રમાણે ધર્મ અને અધર્મને વિચાર કરી શકે છે. આ પારાપત મારાથી ભય પામીને તમારે શરણે આ છે; પરંતુ તમે જ કહો કે—ક્ષુધારૂપી રાક્ષસીથી ગળાયેલો હે કેને શરણે જાઉં ? વળી હે રાજન ! જે તમે સપુરૂષ અને કઈ પણ પ્રાણનું અહિત ઈચ્છતા ન હો હે દયાળુ ! હું પણ ક્ષુધાથી પીડા પામું છું, તેથી મારા આત્માનું પણ રક્ષણ કરે. હું પણ કૃત્યાકૃત્ય જાણું છું, પરંતુ સુધાથી વ્યાપ્ત થયો છું, તેથી શું કરું? કહ્યું છે કે या सा रुपविनाशिनी स्मृतिहरी पञ्चेन्द्रियाकर्षिणी, चक्षुःश्रोत्रललाटदीनकरणी वैराग्यसंपादिनी / बन्धूनां त्यजनी विदेशगमनी चारित्रविध्वंसिनी, सा मे तिष्ठति सर्वभूतदमनी प्राणापहारी क्षुधा // 1 // - વિવેને ફ્રીજા ધર્મો, વિદ્યા સ્નેહગ્ર સૌચંતા : ' . સં = ગાતે નૈવ, સુધાર્તિય શરિર . 2 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy